________________
४०६
સ્થિતિના તિર્યંચને ત્રણ જ્ઞાન ને ત્રણ અજ્ઞાન કહ્યા છે. તેમજ મઝમ સ્થિતિના મનુષ્યને પાંચ જ્ઞાન કહ્યા છે ને ત્રણ અજ્ઞાન કહ્યા છે. તે અહિં મઝમ સ્થિતિ સંખ્યાતા વર્ષવાળનીજ લેવી. કેટલાક કારણમાં મઝમ સ્થિતિ ઉત્પન્ન થયાના એક સમય ઉપરાંતથી તે ઉત્કૃષ્ટી સ્થિતિમાં એક સમય ઓછો હોય ત્યાં સુધીની ગણાય છે પણ અહિંયાં તે ન ગણવું, કારણકે- જુગળીયામાં એક પલ્ય તથા બે પલ્યોપમના તથા ત્રણ પલ્યોપમમાં એક સમેહીન ને મઝમ સ્થિતિ ગણતાં તિર્યંચમાં ત્રણ જ્ઞાન ને મનુષ્યમાં પાંચ જ્ઞાન ગણવાં જોઈએ. અને અવધી જ્ઞાન તથા મનઃ પર્યવ જ્ઞાન તથા કેવળ જ્ઞાન કોડ પૂર્વનાં આઉખા ઉપરાંતને હાય નહિ. માટે જુગળીયાનાં ત્રીશે ક્ષેત્રના તિર્યંચ મનુષ્ય પર્યાયામાં બેજ જ્ઞાન હોય.
પ્રશ્ન રદ મું—અહિં કોઈ અપાતા જુગળીયામાં પણ સમક્તિ ગણે છે તેનું કેમ?
ઉત્તર–અહિં પર કર્મ ભૂમીનાં મનુષ્ય, જીગળયાનું આઉખું બાંધ્યા પછી કોઈ જીવને ક્ષાયક સમક્તિ પ્રાપ્ત થાય ને મરીને જુગળીયામાં ઉત્પન્ન થાય. ત્યાં અપર્યાપ્તામાં કઈ સમક્તિ ગણે છે. એ લેખે જીગળીયામાં સાઠે બેલમાં (અપર્યાપ્ત ને પર્યાપ્તામાં) સમક્તિ માને છે. પણ તે વાત કેવળી ગમ્ય છે, બહુ સૂત્રી કહે તે સત્ય. પણ સૂત્ર કાંઈક બીજું સ્વરૂપ જણાવે છે.
પ્રશ્ન ૬૭ મું–ઉપરના પ્રશ્ન વિષેના ઉત્તરમાં આગલા ભવમાં મનુષ્યમાંથી લાયક સમક્તિ લઈને આવેલ જુગળીયાને અપર્યાપ્તાને પર્યાપ્તામાં સાઠે બેલમાં સમક્તિ માનતાં, સૂત્રના મતે કાંઈ વધે આવવા સંભવ છે ?
ઉત્તર–જે ક્ષાયક સમકિતી કર્મ ભૂમિને મનુષ્ય મરી જુગળીયામાં જાય તે જુગળીયા મરીને દેવતા થાય અને ત્યાંથી કર્મ ભૂમિમાં મનુષ્ય થઈમેક્ષે જાય તે ચાર ભવ થાય. અને ઉત્તરાધ્યયનના ર૯મા અધ્યયનમાં પહેલાજ બેલે કહ્યું છે કે-ક્ષાયક સમક્તિ પ્રાપ્ત થયે તે જીવ તેજ ભવે મક્ષ જાય. તે ભવે મોક્ષ ન જાય તે ત્રીજો ભવ તે એળગેજ નહિ, એમ સૂત્ર પાઠ ચકખું જણાવે છે. એટલે મનુષ્યપણામાં ક્ષાયક સમક્તિ પામેલે તે ભવમાં મેક્ષ ન જાય તે દેવ ગતિમાંજ જાય એટલે બીજે ભવ દેવ ગતિને, ને ત્યાંથી મનુષ્યપણાને ત્રીજે ભવ કરે ને મેક્ષ જાય, એટલે ત્રીજે ભવ તે ઓળગેજ નહિ એ વાત સિદ્ધ છે. માટે ઉપરને ન્યાય જુગળીયાના અપર્યાપ્તામાં ક્ષાયક સમક્તિને બેસતું આવતું નથી. તત્વ કેવળી ગયે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org