________________
૪૦૫
સમય સમય ચ ને સમય સમય ઉપજે, અનંતા ચવે ને અનંતા ઉપજે. હવે જે વાટે વેહેતા વનસ્પતિનાં જીવ હોય તેથી અસંખ્યાત ગુણ જીવ તસ્થળે હોય તે આહારિક હાય માટે અસંખેજ ગુણ કહ્યા.
પ્રશ્ન ૬૪ મું–શ્રી પન્નવણા પદ (પ) મે-જઘન્ય અવગાહના અને મઝમ અવગાહનાના બેઈદ્રિને બે જ્ઞાનને બે અજ્ઞાન કહ્યા, અને ઉત્કૃષ્ટિ અવગાહનામાં જ્ઞાન નથી એમ કહ્યું. તે સ્થિતિ આશ્રી જઘન્ય સ્થિતિનાં બેઈદ્રિને ફક્ત બે અજ્ઞાનજ કહ્યા, અને મઝમને ઉત્કૃષ્ટી સ્તિતિવાળાને બે જ્ઞાનને બે અજ્ઞાન કહ્યા તે કેમ? અહિંયા જઘન્ય અવગાહનામાં બે જ્ઞાન કહ્યા, ને જઘન્ય સ્થિતિમાં જ્ઞાન ન કહ્યા તેનું શું કારણ?
ઉત્તર–જઘન્ય સ્થિતિવાળા બેઈદ્ધિ અપર્યાપ્તામાં મરે તેને જ્ઞાન ન હોય, ને મઝમ તથા ઉત્કૃષ્ટિ સ્થિતિવાળા અપર્યાપ્તામાંથી પર્યાપ્ત અવશ્ય થાયજ તેને અપર્યાપ્ત વેલાયે કઈ કઈ જીવને બે જ્ઞાન લાભે. અને એક સમયથી ઉપરાંતનાં ને ઉત્કૃષ્ટ સ્થિતિના નીચેનાં તે મઝમ સ્થિતિવાળા જાણવા. અને જઘન્ય તથા મઝમ અવગાહના અપ્રયાસ વખતે હેય પણ પર્યાપ્ત વખતે ન હોય તે ભણી બે બોલમાં બે જ્ઞાન કહ્યા છે. ને એક સમયજ સ્થિતિ ઉપરાંતના મઝમ અવગાહનાવાળા જાણવા. પર્યાયો થવાવાળા અપર્યાપ્તાને સમક્તિ હોય, પણ અપર્યાપ્તોજ મરે તેને સમક્તિ ન હોય. ઇત્યર્થ:–
પ્રશ્ન ૬પ મું–જુગળીયા તિર્યંચ મનુષ્યને સમક્તિ ત્રીશ ક્ષેત્ર માંહેલા કેટલા ક્ષેત્રમાં લાભ ?
ઉત્તર–આ પ્રશ્નને ઉત્તર પૂર્વોદ્ધના પહેલા ભાગમાં પાંત્રીશમાં પ્રશ્નમાં આવી ગયું છે તે પણ વિશેષ સમજુતીને માટે સાંભળે–
શ્રી પન્નવણા પદ ૫ મે ઉણિ સ્થિતિના તિર્યંચ મનુષ્યને બે જ્ઞાન ને બે અજ્ઞાન કહ્યા છે. તે આશ્રી કેટલાકનું કહેવું એમ છે કે-પાંચ દેવ કુરૂં, પાંચ ઉત્તર કુરૂના પ્રયાસમાં જ સમક્તિ લાભે. કારણ કે તિર્યંચ, મનુષની ઉત્કૃષ્ટી સ્થિતિ ત્રણ પત્યની કહી છે. ને ત્રણ પલ્યની સ્થિતિ તે બેજ ક્ષેત્રમાં છે માટે. ત્યારે બીજો પક્ષ એમ કહે છે કે
શ્રી ભગવતીજી સતક ૨૪ મે-ગમ્માનાં અધિકારે દેવતામાં વૈમાનિક દેવનું આઉખું બાંધવાવાળા જીગળીયાને બે જ્ઞાન અને બે અજ્ઞાન કહ્યા છે, ને ત્રીશે ક્ષેત્રનાં જુગળીયાની ગતી વૈમાનિકમાં બીજા દેવેલેક સુધીની કહી છે, માટે ત્રીશેના પર્યાપ્તામાં સમક્તિ લાભે. વળી પન્નવણા પદ ૫ મે મૃઝમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org