SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ પગ વગેરે અવયે કાંઈ પણ હલાવી શકે તેવા નથી, તેવા પુરૂષને એકી સાથે બત્રીશ પુરૂએ બત્રીશ અંગોપાંગના સ્થાનકે ભાલાએ કરીને ભેદે અને બત્રીશ પુરૂષ ખડગે કરી છેદે. તેને કેટલી વેદના થાય ? એ દષ્ટાંતે પૃથ્વીકાયના જાવને એથી પણ અતિશય અધિક વેદના થતી કહી છે. પ્રશ્ન ૪૭ મું–અહિં કોઈ એવે સવાલ કરે કે દરેક સૂત્રમાં પહેલી સ્થાવર કાયની દયા બતાવી તેમ પ્રથમ મનુષ્યની દયા કેમ બતાવી નહિ? સર્વ કાયમાં મનુષ્યની કાય બહુજ ઉચી ને ચડી આવી છે. છતાં તેનું રક્ષણ નહિ? બતાવતાં પહેલું પૃથવ્યાદિક પાંચ સ્થાવરનું રક્ષણ જૈનસૂત્રોમાં દાખલ કર્યું તેનું શું કારણ? ઉત્તર–હે ભાઈ ! ભગવંતે તે દરેક સૂત્રમાં છએ કાયના જીવની દયા પાળવી, તેનું રક્ષણ કરવું એમ પિકારી પોકારીને કહ્યું છે. પરંતુ પહેલા સ્થાવર કાયની દયા પાળવાનું બતાવવાનું કારણ એમ જણાય છે કેજે પ્રાણી પ્રથમ ઝીણા અને નાના જીવેને દયા ઓળખશે તેની દયા પાળવા શીખશે તે મેટા જીનું અવશ્ય રક્ષણ કરશેજ. વિચારે કે રાજાનું રક્ષણ કરનારા હજારો માણસે નીકળશે પરંતુ કેઈપણ આધાર વિનાના રાંક-કંગાળ દશાનાં પ્રાણનું કેટલા રક્ષણ કરનારા નીકળી આવે છે ? તેને ખ્યાલ કરે. દુનિયામાં જેટલા મનુષ્યની રક્ષા કરનારા નીકળશે તેટલા તિર્યંચ જાતિના રક્ષણ કરનારા નહિ નીકળે. જેટલા પશુ પક્ષી વગેરે પંચેંદ્રિય જાતિના રક્ષણ કરનાર નીકળશે તેટલા કિડી મંકેડી માંખી માંકડ મચ્છર વગેરેની રક્ષા કરનારા નહિ નીકળે, અને જેટલા વિગલૈંદ્ધિ જીવની રક્ષા કરનારા નીકળશે તેટલા પૃથ્વી પાણી અગ્નિ વાયુ ને વનસ્પતિના જીવની રક્ષાના કરનારા તેની દયાના પાળનારા નહિ નીકળે. માટે મહાવીર પરમાત્માએ પહેલા અનાથ પ્રાણીઓનું રક્ષણ કરવા તેની દયા પાળવાનું બતાવ્યું છે. જે ઇતર પ્રાણીઓનું દયા પાળવાનું શીખશે તે મનુષ્યની દયા પાળવા શીખશે. વિચારે કે-મનુષ્યની દયા માટે જેવી કાયદા કરે છે તેવી બીજા પ્રાણીઓને માટે કઈ કેરટ બેલવામાં આવી છે ? એવી એક તે બતાવે. મહાવીર પરમાત્માએ તે નાના મોટા, સૂમ બાદર, ત્રણ સ્થાવર, મનુબથી માંડી એકેદ્રિય સુધીના છએકાયના રક્ષણને માટે આઠે પહોર ખુલ્લી રહે તેવી કેરટ ન્યાયમાર્ગની ખડી કરી છે અને તેને અમલદારે પણ ન્યાયના આસને બેઠેલા તમામ પ્રાણીઓના રક્ષણનું અને તેના હિતનું ચિંતવન અહર્નિશ કર્યા કરે છે. અને ગુનેહગારને શાસ્ત્રોક્ત-કાયદા મુજબ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy