SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ જન્મ સમયથી મરણના અંત સુધીમાં આધિ, વ્યાધિ ને ઉપાધિ તથા રોગ, જરા; પરવશપણું આદિ દુઃખી સંસારને અંગે રહેલા જેની કોઈ સીમા હોતી નથી. એમાંનાં કેઈપણ પ્રકારનાં દુઃખ સિદ્ધમાં નથી. એજ સિદ્ધનું સુખ. આ ઉપરાંત આપણી કલ્પનામાં પણ ન આવી શકે તેવું અકયુ, અકથ, અગમ્ય, અતીન્દ્રિય અને અનિર્વચનીય એવું આત્માનું સ્વાભાવિક અનંતસુખ સિદ્ધ ભગવંતને હોય છે. પ્રશ્ન ૪૮ મું –સંસારમાં રહેલાં ચાર પ્રકારનાં તથા બીજા અનેક પ્રકારનાં દુઃખ જણાવ્યાં તે મહેલું દુઃખ સિદ્ધમાં નથી તે તે ઠીક. પણ ત્યાં તેમને કરવાનું શું ? જેમ સંસારમાં દુઃખ ઘણું છે, તેમ સુખ પણ ઘણાં છે. ભલે સિદ્ધમાં દુઃખ નથી, પણ ખાવા, પીવાં આનંદ મેજશેખ ઉડાવ, રમત ગમતમાં આત્માને આનંદમાં રાખવા વગેરે સુખમાંનું સુખ સિદ્ધમાં હેવું તે જોઈએ અને તે જ્યારે ન હોય ત્યારે સુખ શાનું? ઉત્તર–હે ભાઈ! એ સુખ તે બધા દેહધારીને માટે છે. સિદ્ધ ભગવંત દેહધારી નથી. સંસારી જીવ સક્રિય છે, સિદ્ધના જીવ અકિય છે. જે સક્રિયને કરવાનું છે તે અકિયને કરવાનું નથી. વ્યવહાર માત્ર સક્રિયને છે, અકિચને કોઈ પ્રકારને વ્યવહાર નથી. આચારાંગ સૂત્રનું વાક્ય છે કે એ મરત વહાણ ન વિનર જેને આપણે સુખ માનીએ છીએ તે વ્યાવહારિક સુખ છે તે પૌદગલિક સુખ છે. જે પ્રકારે જે વસ્તુના ભેગ વડે માનેલું સુખ તે કઈ વખત દુઃખરૂપ થઈને ઉભું રહે છે. દુધપાક, બાસુંદી કે શીખંડ વગેરે મિષ્ટ ભેજન જમતાં જેટલો આનંદ થાય છે, તેટલેજ આનંદ બલકે તેથી વિશેષ દુઃખરૂપ તેજ સમય તે વસ્તુનું વમન કરતાં થાય છે અને જ્યારે તે વિક્રિયા રૂપે પ્રગમે છે ત્યારે તેનાં દુ:ખની સીમાં રહેતી નથી. તે પછી ક્ષણભરનું સુખ કે ક્ષણ માત્રને આનંદ શા કામને ? કામ ભેગને આશ્રિત સાંસારિક સુખ તે તે પામ | ખસ વાળાને ખરજ ખણવાથી થતી મીઠાશ તુય છે. કામ ભેળ પ્રારા લગે. ફલ કિંપક સમાન; મીઠી ખાજ અાવતાં, પી છે દુબકી ખાણ. ૧ આ સુખ તે સુખ નથી પણ એકાંત દૂઃખજ છે. જ્યારે આવા કૃત્રિમ અને કલ્પિત સુખમાં જ્ઞાની પુરુષે પણ આનંદ માનતા નથી. તે પછી સિદ્ધમાં તે એ ખેટે આનંદ હોયજ ક્યાંથી? માટે સિદ્ધનું સુખ તે અવિનાશી બીજા જ પ્રકારનું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy