________________
૩૮૩
એટલે અશોક વૃક્ષ અતિશયના પ્રભાવે બની આવે તે નીચે પઢવી શિલાપટ્ટ ઉપર બેસી ભગવંત ઉપદેશ આપે એમ કહ્યું છે. અને જ્યાં
જ્યાં ભગવંતના ઉપદેશને અધિકાર ચાલ્યા છે ત્યાં પૃથ્વી શિલાપટ્ટ ઉપર બેસીને જ ચાલે છે, તે ન્યાય પૂર્વક છે. બાકીની વાત ગ્રંથકારેએ વધારીને કરેલી હોય એમ જણાય છે. આ પ્રશ્ન ૩ જુ–સૂત્રમાં ભગવંતને બેસવા માટે ફટક રત્નનું સિંહાસન બની આવે છે એમ કહ્યું છે તે કેમ ?
ઉત્તર–ઉવવાઈ સૂત્ર તથા સમવાયાંગજીમાં અતિશય અધિકારે કહ્યું છે કે-ધર્મચક્ર ૧, છત્ર ૨, ચામર ૩, સિંહાસન ફટક રત્નમય અથવા આકાશની પેઠે નિર્મળ સફેદ પાદપીક સહિત સિંહાસન ૪, અને ધર્મધ્વજ પ, એટલા વાના સદાય આકાશ ગત-આકાશને વિષે ચાલે છે. એમ કહ્યું છે. પણ ભગવંતના પરિગમાં આવે છે એમ કહ્યું નથી.
પ્રશ્ન ૪ થું—આ વિષે સૂત્રના મૂળ પાઠમાં શું કહ્યું છે તે જણાવશે? ઉત્તર–મૂળ પાઠમાં ચકખું આકાશગત કર્યું છે તે સાંભળ
સમવાયગજીમાં ૩૪ અતિશયમાંआगासगयं चकं ६, आगासगयं छतं ७, आगासियाउ सेयवरचामराओ ८ आगासफालियामयं सपायपीढ सिंहासणे ९.
અર્થ –આકાશગત વહિંચક દ, આકાશગત વહિં છત્ર ૭, આકાશે હેત વર–પ્રધાન ચામર ૮, આકાશને વિષે નિર્મળ સફેત પાદપીઠ સહિત સિંહાસન ૯ –આ બધા બેલ આકાશમાં વિશા પુદ્ગલનાં ભગવંતના અતિશયને લઈને બની આવે છે. વાદળાની માફક, પણ ચક કોઈને વિદ્યારે નહિ. છત્રછાયા કરે નહિ, ચામર વિઝાય નહિ, અને સિંહાસન બેસવાને કામ આવે નહિ, ભગવંતને બેસવાને તે પુઢવી શિલાપટ્ટજ કહેલ છે.
પ્રશ્ન પ મું–તિર્થકરને બે પડખે યક્ષ આમર વિંઝે છે એમ સમવાયંગજીમાં અતિશય અધિકારે સાંભળ્યું છે તે કેમ ?
ઉત્તર–હમણાના ડાક વર્ષ પહેલાં બાબુ તરફથી સમવાયંગ સૂત્ર છપાયેલું છે તેમાં એ પાઠ છે . પણ અસલનું જુનું ઘણ વર્ષનું લખેલું સમવાયંગ સૂત્ર જોતાં તેમાં એ પાઠ કે અધિકાર નથી. એ ઉપરથી એમ જણાય છે કે-કેઈએ એ પાઠ ન દાખલ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org