________________
૩૫૮
જવાને સ્વભાવ, અભવીને સંસાર પરિભ્રમણ, પુરૂષ પુત્ર જણે નહિ ઈત્યાદિકને જે જે સ્વભાવ છે તે તે સ્વભાવે થયા કરે છે, માટે પિતાના સ્વભાવેજ બને છે અને સ્વભાવ વિના કંઈ પણ બનતું નથી એવી પ્રરૂપણા સ્વભાવવાદીની છે.
પ્રશ્ન ૩૭મું–નિયતવાદીના મતનું સ્વરૂપ શી રીતે કર્યું છે?
ઉત્તર–નિયતવાદીના મતવાળાની એવી પ્રરૂપણ છે કે-જેહવું થવાનું હોય તેહવું થયા કરે છે. વિચારે કે વસંત ઋતુ માંહે આમ્રવૃક્ષને કેટલે માર લાગે છે પરંતુ કેટલેક મેર ખરી જાય છે અને કેટલીક ખાકટી કેટલાક અલીયા અને છેવટે જેટલી કેરીઓ થવાની હતી તેટલીજ થાય છે. ગમે તેટલે પ્રયાસ કરે પણ હણહાર હોય તેજ હવે. જુઓ દ્વારકાને દાહ નેમ પ્રભુએ કહેલ છતાં શ્રીકૃષ્ણ મહાન પ્રયાસ કર્યો છતાં દ્વારકાને દહ લાગે અને પિતાનું મૃત્યુ પિતાને શસ્ત્ર જરત કુંવરને હાથે કુશબી વનમાં થયું. વળી મંદોદરી તથા વિભિષણ વગેરેએ રાવણને ઘણેજ સમજાવ્યું પરંતુ પરસ્ત્રીના દુષણથી અને વાસુદેવને હાથે સ્વયક્રેજ મૃત્યુ થવાનું હતું તે તેણે કેઈની શીખ નજ માની અને છેવટે વાશુદેવને હાથેજ મૃત્યુ થયું. માટે જે થવાનું હોય તે થાય છે માટે મિથ્યા કેઈ કરનાર નથી એવી પ્રરૂપણા નિયતવાદી કરે છે.
પ્રશ્ન ૩૮ મું–કર્મચારીનું સ્વરૂપ શું છે તે જણાવશે?
ઉત્તર–કર્મવાદી ત્રણે મતને જુઠા ઠરાવવા પિતાના મતની સિદ્ધતા કહી બતાવે છે કે- સર્વ પ્રાણી કમને વશ છે અને કર્મ પ્રમાણે જ થાય છે. વિચારશે તે સમજાશે કે પંડીત, મૂર્ખ, શ્રીમાન, ગરીબ, રાય, રંક, સુરૂપ, કુરૂપ, સુભાગી, દુર્ભાગી વગેરે કર્મથીજ થાય છે. સર્વ મનુષ્ય સરખા હોવા છતાં એક કર્મ સંગે હાથીને હદે બેસે અને એક ઘરે ઘરે ભીખ માગે, એક પાલખીએ બેસે અને એક તેને જ ભાર વહન કરે, એકને ઈચ્છીત ફળ-ઇચ્છીત વસ્તુ મળે અને એકને અને એકટાણે પણ ન મળે. આદિનાથ પ્રભુને આ તરાય કર્મના ઉદયે આહાર પાણી ન મ. મલ્લીનાથ પ્રભુ શ્રી વેદે અવતર્યા, કેવી કર્મની વિચિત્રતા. સીતાને કલંક, રામ લક્ષમણ અને પાંડવ રણ વગડે રખડ્યા, શ્રીકૃષ્ણને જન્મતા કેઈએ જાણે નહિ, મરતા રેનારા પણ કઈ ન મળ્યા. માટે કર્મ ગેજ સુખ દુઃખ અનુભવાય છે. કર્મો વડેજ એકેદ્રીપણું કાવત્ પચેંદ્રીપણું પ્રાપ્ત થાય છે. ચાર ગતિમાં પરિભ્રમણ કરાવનાર કર્મ જ છે, એટલે સર્વોપરિ સત્તા કર્મની છે અને તે કર્મો ભેગબે મોક્ષ મળે છે એવી કર્મવાદીની પ્રરૂપણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org