________________
૩૪૬
અર્થ સમક્તિ પ્રાપ્ત થયેલા છ વ્રતધારી શ્રાવક હોય છે. તે જ્યારે વ્રત અંગીકાર કરે ત્યારે જેટલા મિથ્યાત્વના રીત રીવાજ હોય તેને દૂર કરી વ્રતધારી શ્રાવક થાય એટલે અણુવ્રત, ગુણવ્રત ને શિક્ષાત્રતને ધરનાર હોય. તેના હૃદયમાં અગાર પ્રતિજ્ઞાની ભાવના રહ્યા કરે. એ શ્રાવક જિનરાજ દેવની જ સેવન કરે એટલે તેમના પ્રરૂપેલા ધર્મનીજ સેવા કરે અને તેમનાં વચનને જ શીર ચડાવે, અર્થાત્ તેમની આજ્ઞાને જ શીરતાજ સમાન મસ્તક ચડાવીને ચાલે. અને હંમેશાં મુનિરાજની ભક્તિની ચિત્તમાં ચાહના કરે, વિષય ક્ષાયને ત્યાગ કરનાર અને ભોજન પર અપ્રીતિ ધરાવનાર એટલે જીહવા ઇંદ્રિયને લુપીન ન હોય, જિતેન્દ્રિય થક ચિત્તની વૃત્તિને સ્થિર કરનાર હોય, સદાય તમામ પ્રાણી પર દયા ભાવ રાખે અને તમામ જીવને પિતાના મિત્ર માને, મિત્ર ભાવે તમામને પ્રણામ કરે એટલે સર્વને નમી ચાલે કોઈથી કઠેરપણે ન વરતે, એવી વૃત્તિવાળા હોય તેજ શ્રાવક કહેવાય. તેવા ગુણવાળા શ્રાવક હોય તે પાપ કર્મને હરનારા થાય છે એમ મુનિવરે કહે છે
પ્રશ્ન ૧૧ મું-મુનિ ધર્મ માટે શું કહ્યું છે તે જણાવશો ?
ઉત્તર–મુનિ ધર્મ માટે પણ એજ અધિકારે નીચે પ્રમાણે કહ્યું છે સાંભળે–
સવૈયા-૩૧ સા-- दहि कै करम अघ लहिके परम मग, गहि कै धरमं ध्यान ग्यानकी लगनि हैं; सुध निजरूप धरे परसों न प्रीत करें; वसत सरीरपै अलिप्त ज्यौं गगनि है. निश्च परिनाम साद्धि अपनै गुन आराधि, अपनी समाधि मधि अपनी जगनी है; सुद्ध उपयोगी मुनि राग दोष भए मुनि,
परसौं लगन नांहि आपमें मगनी हैं. १
અર્થ—અહિયાં મુનિ સ્વરૂપ જણાવે છે કે-કમને દાવા નળ દઈ કમને બાળીને, પરમ માર્ગ-મક્ષ માર્ગને પંથે જેણે લીધે છે, ધર્મ ધ્યાનને ગ્રહી જેને જ્ઞાનની લગની લાગી છે, પિતાના શુદ્ધાત્મ સ્વરૂપને ધારણ કરનાર, પર જે પુદ્ગળ સાથે પ્રીતિ નહિ કરનાર, શરીરમાં વસતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org