SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૩ संजम सहित मुसाध, होय निग्रंथ निरागी, मत अविरोध गरंथ, ताहि माने परत्यागी केवल भाषित धर्मधर, गुनथानिक बूझै मरम, भैया निहार विवहार यह, सम्यक् लछन जिन धरम. १ ધર્માસ્તિ કાયાદિ છ દ્રવ્ય, જીવા જવાદિ નવ તત્વ, તેને સર્વ ભેદને સારી રીતે જાણે અને અઢાર દેષ રહિત દેવને દેવપણે માને, સંયમ યુક્ત રાગ દ્વેષ રહિત નિગ્રંથને સાધુ માને, ધર્મને વિરોધ ન પડે તેવા ગ્રંથ માને, બાકીને (ધર્મને વિરૂદ્ધ પડે તેવાને) ત્યાગ કરે, અને કેવળીએ પરૂપેલા ધર્મને સ્વીકાર કરે, અને ચૌદ ગુણ સ્થાનના મર્મને જાણ હોય. તેને વ્યવહારથી સમકિતનું લક્ષણ જિન ધર્મ સંબંધીનું જાણવું. ઉપરના લક્ષણે વ્યવહારથી સમક્તિી જીવને ઓળખવા. • પ્રશ્ન ૬ ફુ–ઉપર કહ્યા પ્રમાણે જ્યારે વ્યવહારથી સમ્યકત્વ લક્ષણ કર્યું ત્યારે નિશ્ચયથી સમકિતી કેમ જાણીએ તેનું શું લક્ષણ? ઉત્તર–શ્રી દિગમ્બર મતમાં-જિન ધર્મ પચીસીમાં નિશ્ચ સમ્યકતનું લક્ષણ નીચે પ્રમાણે કહ્યું છે. છપ છંદ राग दोष अरु मोह, नांहि निज मांहि निरखत, दर्शन ग्यांन चारित, सुध आतमरस चखतः पर द्रव्य सौं भिन्न, चिन्ह चेतन पद मंडित, वेदत सिद्ध समान, शुद्ध निजरूप अखंडित; मुख अनंत जिहि पद वसत, सोनिसचे सम्यक् महत, भैया विचछन भविक जन, श्री जिनंद इहि विधि कहत. १ જેને નિશ્ચયથી સમક્તિની પ્રાપ્તિ થઈ હોય એવા છે રાગ, દ્વેષ અને મેહની દષ્ટિએ જોવે નહિ. અર્થાત્ તેને વાસ પણ પિતાના આત્મામાં થવા દે નહિ. દર્શન, જ્ઞાન અને ચારિત્ર રત્ન ત્રય વડે શુદ્ધ આત્મ રસને ચાખે, આત્મ દ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્યની ભિન્નતા માની જ્ઞાનમય ચૈતન્ય પદને વિષે પિતાની વૃત્તિ જોડેલી છે. સિદ્ધ સમાન સુખને વેદતાં શુદ્ધ આત્મ સ્વરૂપની જાતિને અખંડિતપણે પ્રગટાવનાર, જ્યાં અનંત સુખને વાસ છે તે પદને આપનાર મહા મહિમાવંત નિશ્ચય સમકિત તે પિતેજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy