________________
૩૪૧ .
સમક્તિને પ્રગટ થતાં અટકાવનારી હતી તેને નાશ કરી આત્મિક સુખને પ્રગટ કરે અર્થાત્ અપૂર્વ સુખને અનુભવને દોષ અને દુઃખને દૂર કરે. ઇત્યાદિ ગુણવાળા જીવને સમક્તિની પ્રાપ્તિ થાય છે. એમ આ છંદમાં જણાવ્યું છે. અને ક્ષેમવિજય નામના જૈન મુનિએ પણ સમક્તિની પ્રાણી માટે સારૂ કહ્યું છે.
પ્રશ્ન ૨ જુ-શિષ્ય-ક્ષેમવિજ્યજીએ સમક્તિની પ્રાપ્તિ માટે શું કહ્યું છે તે જણાવશે?
ઉત્તર—સાંભળે-મવિજ્યજીએ ભાવ પૂજાનું સ્તવન કર્યું છે તેની બીજી ને ત્રીજી ગાથામાં કહ્યું છે કે
સમિતિ દ્વાર ગભારે પેસતાંજી-એ ટેકઆયુ વર્જિત સાતે કર્મનીજી, સાગર કડાકોડી હેણા; થિતિ પઢમ કરણે કરીજી, વીરજ અપૂરવ મગર લેણજી. સમ૦ ૧ ભુંગળ ભાંગી આદિ કષાયનીઝ, મિથ્યા મેહની સાંકળ સાથેજી; બાર ઉઘાડ્યાં સમ સમવેગનાં, અનુભવ ભુવનમાં બેઠા નાથજી. સમ૦ ૨
અહિંયાં એમ જણાવે છે કે-આઉખ કર્મ વરજીને સાત કર્મની સ્થિતિ એક કડાકોડ સાગરની અંદર આવે ત્યારે તે જીવને પહેલું યથા પ્રવૃત્તિ કરણ થયું કહેવાય. એટલે પઢમ કરણે અંતે કડાકોડમાં આવે. ત્યારપછી આત્મિક વીર્ય શકિત ફેરવવા અપૂર્વ કરણ પ્રગટ કરી–તે રૂપ મઘર મુદ્ગર વડે આદ કષાય જે અનંતાનુબંધીની ચેકડી રૂપ ભુંગળને ભાંગી મિથ્યાત્વ મેહની રૂપ સાંકળને તેડી, સમ સમવેગ રૂપ બાર-કમાડ ઉઘાડી સમકિત રૂપ ગભારામાં પેશી–અર્થાત્ સમકિત પ્રગટ કરી આત્મ સ્વરૂપને અનુભવ કરે.
એટલે સમક્તિની પ્રાપ્તિ થયા પહેલા ઉપર કહેલા ગુણે પ્રાપ્ત થવા જોઈએ. અને દિગંબર મતમાં પણ સમક્તિની ઉત્પત્તિ વિષે સારે ખુલાસે આપવામાં આવ્યા છે.
પ્રશ્ન ૩ –શિષ્ય-સમક્તિની ઉત્પત્તિ વિષે દિગમ્બર મતમાં શું જણાવે છે તે કૃપા કરી જણાવશે ?
ઉત્તર–સાંભળો–શ્રી જૈન ગ્રંથ રત્નાકર”—રત્ન ૩ રા–સ્વામી કાર્તિકયાનુપ્રેક્ષા -ખથધર્માનુપ્રેક્ષા (દિગંબર ગ્રંથ) પાને ૧૧-સમક્તિની ઉત્પત્તિ વિષે કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org