SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ થાણું જે ખીલે અથવા ભીંત પ્રમુખ ત્યાં સુધી આવીને વળી પાછી ફરી જાય, તથા કેઈક કીડી તે થાણું જે ખીલે ભીંત તે ઉપરે ચઢવા માટે તે ચઢીને થાણેના ઉપર બેસી રહે, તથા વળી કઈક કડી થાણુ ઉપરે ચડીને ઉડી જાય. તથા કેઈક કીડી ખીલાથી અધવચ પાછી ઉતરે, એ મૃદંગી જે કડી તેનું દwત જાણવું. હવે એને ઉપનય ઉપમાન દેખાડે છે, ક્ષિતિ ગમન એટલે કીડીનું પૃથિવી ઉપરે ફરવું, ખીલાના મૂળ સુધી આવવું તે પ્રથમના યથા પ્રવૃત્તિ કરણ સરધ્યું છે, તથા કેઈક કીડી ખીલે ચડી તે સમાન બીજું અપૂર્વ કરણ છે, તથા કેઈક કડી ખીલે ચડીને તે ખીલાથી ઉડી ગઈ તે સદશ જીવને ત્રીજું અનિવૃત્તિ કરણ કહીએ. થાણું જે ખીલે ત્યાંજ ટકી રહેવું તે ગ્રંથી દેશે રહેવું એટલે ગ્રંથી ગત જીવનું કેઈ કાળ સુધી ત્યાં રહેવું હોય, તે સરખું છે, તથા તે ખીલા રૂપ ગંઠી દેશથી ઓસરે એટલે પાછું ફરે તે ફરી કર્મ સ્થિતિની વૃદ્ધિ કરે ફરી ઉત્કૃષ્ટી કર્મ સ્થિતિ વધારે. એ બે દષ્ટાંત કહ્યા તેણે કરી કેઈ સંજ્ઞી પર્યાપ્ત પંચંદ્રિય ભવ્ય જીવ મુક્તિ જાવા ગ્ય હોય, જેને માત્ર અદ્ધ પુગલ પરાવર્નાન શેષ સંસાર બાકી રહ્યો હોય, એ એટલે લક્ષણે પૂરણ જે જીવ હોય તે જીવ જે કરે તે આગળ કહે છે. પ્રશ્ન ૮૭ મું–અદ્ધ પુદ્ગલમાં આવેલ છવ શું શું કરે ? ઉત્તર–ઉપરોક્ત લક્ષણવંત જીવ તે ગ્રંથી દેશ સુધી આવે, ત્યાં પરિણામ નિર્મલતાની વૃદ્ધિ હોય તે કહે છે. પૂર્વે કઈ વારે પામે નથી એવું જે પરિણામ તેને અપૂર્વ કરણ કહીએ તે અપૂર્વ કરણ કેવું છે જે નિવડ આકરી અત્યંત કઠીણ એવી પક્ત રૂપે જે ગ્રંથી તેને ભેદવને વજ સરખું છે, તેને ઘાએ કરીને વિહિત એટલે કર્યો છે દુષ્ટ ગ્રંથીને ભેદ જેણે, તથા ભૂત તે જીવ પ્રતિક્ષણે વિશુદ્ધમાન પરિણામની નિર્મલતા વધતે થકે અંતર્મુહૂર્ત માત્રામાં પૂર્વોક્ત અનિવૃત્તિ કરણે ગયે એટલે ગ્રંથી ભેદ કરતાં અંતર્મુહૂર્ત લાગે. ત્યાં ચઢતે પરિણામે ગ્રંથી ભેદ કરી અનિવૃત્તિ કરણે જાય. અહિં અપૂર્વ કરણની વિશુદ્ધતા થકી અનિવૃત્તિ કરણની નિર્મલતા વિશુદ્ધતર છે, માટે અપૂર્વ કરણ અને અનિવૃત્તિ કરણની ભિન્નતા થઈ. (પૃષ્ટ પ૯૦મ.) પ્રશ્ન ૮૮ મું– અપૂર્વ કરણમાંથી અનિવૃત્તિ કરણે ગયે જીવ શું કરે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy