________________
૩૨૫
સાત કર્મની શેષ સ્થિતિ રહી ત્યાં સુધી યથા પ્રવૃત્તિ કરણ કહીએ, આગલે ગ્રંથી દેશ આવ્યે ખરે પણ એ કરણ એગ્ય પરિણામે આગળ ન જવાય. ઈતિ પ્રથમ કરણ. (બે દષ્ટાંતે કરી કહ્યું)
પ્રશ્ન ૮૦ મુ—બીજું અપૂર્વકરણનું સ્વરૂપ શી રીતે?
ઉત્તર–બીજું અપૂર્વકરણ તે જે પહેલા સંસાર પરિમણ કરતાં કદાપિ એવું, કરણ જે જીવ પરિણામ વિશેષ તે પામે નથી માટે અપૂર્વ કરણ કહીએ. એ અપૂર્વકરણ પરિણામે ઘન નિવડ રાગ દ્વેષ પરિણતીમયી જે ગ્રંથી તેને ભેદવા માંડે, જે ભેદે તે અધ્યવસાયને અપૂર્વકરણ કહીએ
પ્રશ્ન ૮૧ મું-ત્રીજું અનિવૃત્તિકરણ કેને કહીએ ?
ઉત્તર–ત્રી અનિવૃત્તિકરણ તે જે અધ્યવસાય ફળ પ્રાપ્તિ વિના નિવર્સે પડે નહિ, એટલે પૂર્વે આ જે અપૂર્વકરણ રૂપ પરિણામ તે, પાછો જાય નહિ તેને અનિવૃત્તિકરણ કહીએ, તે અનિવૃત્તિકરણ રૂપ પરિણમે કરી જીવ સમ્યકત્વ પામે તે ત્રીજું કારણ
પ્રશ્ન ૮૨ મું–ઉપરના કહેલા ત્રણ કરણ વિષે વિશેષ સમજવા જેવું હેય તે તે પણ જણાવશે ?
'ઉત્તર–સમ્યકત્વ સ્વરૂપમાં-પૃષ્ટ પ૮૭ મે-કલ્પ ભાગની સાખ આપી જણાવે છે કે –
આયુવજીને સાતે કર્મની અંતિમ-છેલ્લી કેડાછેડી સ્થિતિ પલ્યોપમને અસંખ્યાતમે ભાગે ન્યૂન રહે, બાકી સર્વ ખપી જાય. એ હવે ઈહાં ગંઠી કઠણ સ્થાનક છે. તે ગંઠી કેવી છે ? તે કે, અત્યંત દુખે ભેદવા ગ્ય, કર્કશ, વક્ર, ગૂઢ, ગુપ્ત કેદ્ર, ખદિરાદિ કઠણ કાછના ગાંડની પરે જેવી તેવી રીતે ભેદય છેદાય નહિ; એ ઉપમાએ અનાદિનું જીવને કર્મ જનિત ઘન-નિવડ રાગદ્વેષ પરિણતિ સંચય રૂ૫ ગ્રંથી તે વાવત્ દુર્ભેદ્ય છે. જ્યાં ગઠી છે ત્યાં સુધી આવે તેને પ્રથમ યથા પ્રવૃત્તિકરણ હેય. ૧
પછી ગ્રંથી સમર્થન કરતાં સામર્થ્યવંત થઈ ગ્રંથી ભેદતાં બીજું અપૂર્વકરણ હેય. મારા
તથા વળી અનિવૃત્તિકરણ તે સમ્યકત્વ અવશ્ય પ્રાપ્ત ભવ્યપણે આગળ કર્યું જેણે જીવે, એટલે સમ્યકત્વ અવશ્ય પામવું જેના મુખ આગળ રહ્યું છે તે જીવને ત્રીજું કરણ હેય. tia
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org