SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંયાં એમ જણાવે છે કે આઠ કર્મ જે છે તે સકલ જીવને એટલે સર્વ જીવને વૈરી ભૂત શત્રુ તુલ્ય છે; તે કર્મરૂપી વેરીને હણીને જેણે અરિહંતપદ ધારણ કર્યું છે તેને અરિહંત કહેવા તે પદને પ્રથમ નમસ્કાર કરવામાં આવ્યો છે. પ્રશ્ન ૧ મું--અહિંયાં એક તક ઉત્પન્ન થાય છે કે શત્રુને હણવામાં કષાયની જરૂર પડે છે; કષાય વિના શત્રુને નાશ થતો નથી તે પછી કર્મરૂપી શત્રુને વિના કષાયે રીતે નાશ કર્યો ? ઉત્તર-- તમારી શંકા વિચારવા જેવી છે, તેનું સમાધાન આ પ્રમાણે છે. અગ્નિ બે પ્રકાર છે એક તેજસકાયને અગ્નિ અને બીજો હીમને અગ્નિ. તેજસકાયના અગ્નિથી વન વગેરે બળેલું વખતે પાલેવે પલ્લવિત થાય છે. પણ હમરૂપ અગ્નિથી બળેલું વન વગેરે ફરી પાલવતું નથી. દ્રવ્ય શત્રુને હણવામાં કષાયરૂપ અગ્નિ પ્રજવલિત થવા સંભવ છે; પરંતુ ભાવ વેરીને હણવામાં તે ક્ષમારૂપ ઠ ડી અગ્નિની આવશ્યકતા છે. કર્મરૂપી શત્રુને હણવાને ક્ષત્યાદિ ગુણોજ શાસ્ત્રકારે જણાવ્યા છે. સૂત્રમાં કહ્યું છે કે વમા સુરા રતિ એ ક શુર પુરૂષ છે કે કર્મરૂપી શત્રને હણ્યા? ઉત્તરમાં ક્ષમાવાન એવા અરિહંત ભગવાન કે જેને ઘણા ઘણા પરિસહ ઉપસર્ગો પ્રાપ્ત થતાં પણ એવી ક્ષમા ધારણ કરી દીધી કે જેનું એક રૂંવાડું પણ પ્રજવલિત નહિ થતાં તેજ ક્ષમાવડે જેણે કેવળજ્ઞાનને કેવળ દર્શન પ્રગટ કર્યું એજ શુરામાં શુરા ક્ષમાવાન અરિહંત ભગવાન કહ્યું છે. પ્રશ્ન ૨૦ મું -ક્ષમારૂપ ઠંડી અગ્નિથી કર્મને નાશ થાય તે વાત કીક છે પણ બીજને નાશ થવાને કાઈ બીજ ઉપાય હોવો જોઈએ. ઉત્તર--બીજે ઉપાય એ કે બીજને અખિમાં શેકીને દગ્ધ કરી દીધા પછી વાવે તે તેનો અંકુર ફુટે નહિ, તેમ કર્મને દગ્ધ કરી નાખવાથી તેના બીજને બાળી નાખવાથી ભવરૂપી અંકુરો પ્રગટ થતો નથી એમ ભગવતીજીની ટીકામાં કહ્યું છે. પ્રશ્ન ૨૧ મું –ભગવતીજીની ટીકામાં શી રીતે કહ્યું છે તે જણાવશે ? ઉત્તર--હાજી, સાંભળે પહેલાજ પદના અર્થમાં ચાલતા અધિ કારમાં કહ્યું છે કે : दग्घबीजे यथात्यंत प्रादुर्भबति नांकुरः कर्म बीजे तथा दग्धे, न रोहंति भवांकुरः ॥ १ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy