________________
પ્રશ્ન ૧૬ મું -મહાવીર પરમાત્માએ પોતે કેવી રીતે અનુભવ કર્યો છે?
ઉત્તર--સૂયગડાંગ સૂત્રના ૬ ટ્રા અધ્યયનની ૨૬ મી ગાથામાં શ્રી મહાવીર સ્વામીની સ્તુતિ કરતા શ્રી ગણધર મહારાજે કહ્યું છે કે-મહાવીર પરમાત્માએ ક્રોધ, માન, માયા ને લેભ એ ચારે અધ્યાત્મ દોષ જાણીને તેનું વમન કર્યું એટલે તેને સર્વથા ત્યાગ કરી અહંતપદ મેળવ્યું અને મેટા પીધર થયા, અને પાપકર્મનાં અઢારે સ્થાનકને અટકાવ્યાં.
પ્રશ્ન ૧૭ મું--તમે અરિહંતાણં શબ્દને માટે કોધ, માન, માયા ને લેભ આ ચારને અધ્યાત્મ શત્રુ કો તે તે મેહનીય કર્મના ભેદ છે તો શું ઓત્માને શત્રુ એક મેહનીય કર્મ જ છે ને બીજા નથી?
ઉત્તર----આત્મના શત્રુ તે આઠે કર્મ છે. પણ મિહનીય કર્મની પ્રબળતાથી ને કર્મનું આગેવાનપણું છે. સિદ્ધાંતમાં પણ એજ વ્યાખ્યા છે કે એક મેહનીય કર્મને નાશ થયે આઠે કર્મને નાશ સમજ એટલે પ્રથમ ઘનઘાતી કર્મ કે જે જ્ઞાનાવરણીય, દશનાવરણીય, મેહનીય અને અંતરાય એ જ કર્મને ઘાતી કર્મ કહ્યા છે તે નિવડ કર્મમાં મેહનીય કર્મ રાજા સમાન છે. તેને ક્ષય થતાં એકી સાથે મેડનીય કર્મ સહિત ચારે ઘાતી કર્મને નાશ થાય છે. બાકીનાં ચાર કર્મ જે વેદનીવ, આઉખું, નામ ને ગોત્ર એ ચાર અઘાતી કર્મ પણ બળી દેરડી સમાન માત્ર આકાર રૂપે રહેલા તે પણ નહિ જેવાંજ શાસ્ત્રકારે ગણીને આડે કર્મને હણનાર અરિહંત કહ્યા છે. જેમ રાજાને જીતવાથી તેના તમામ રાજ્યને તથા સેના વગેરેને જીતી શકાય છે. તેમ અહિં રાજારૂપી મેહનીય કર્મને જીતવાથી બાકીના પણ એની મેળેજ જીતી શકાય છે. એટલે આઠ કર્મ આત્માને શત્રુરૂપ છે. માટે નમો રિહંતાઈ આઠ કર્મ રૂપી વેરીને હણનારાને પ્રથમ નમસ્કાર કર્યો છે
પ્રશ્ન ૧૮ મું-આઠ કર્મરૂપી વેરીને હણનારને અરિહતે કહ્યા તે કયે ઠેકાણે કહ્યા છે?
ઉત્તર--શ્રી ભગવતીજીની ટીમમાં બાબુવાલા છાપેલા પાના બીજાની પુષ્ઠી પેલીમાં નમે અરિહંતાણને અર્થ જ્યાં કર્યો છે ત્યાં અરિહંત શબ્દનો અર્થ આ પ્રમાણે છે.
अठ विहं पि यं कम्म, अरिभूयं होइ समय जीवाणं; तं कम्ममरिहंता, अरिहंता तेणवुच्चति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org