SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૭ જિન શાસન માંહિ પુણ ઈમજ છે. કિંવા અનેરી પરે ? એવી પરાશકો ઉપરે કહે છે. ગં–ને માયા સે વિમાયા વિશ્વાસે ગયા વિશાળગાવા. એટલે જે જીવ તે વિજ્ઞાતા, સુખ દુઃખને જાણ, અને જે સુખ દુઃખને જાણે તે આત્મા. એટલે જીવ સુખ દુઃખને જાણે તે માટે જીવને હણ નહિ. જે ભણી સુખ દુઃખને વેદક છે. જીવ થકી સુખ દુઃખ વેગળું નથી. જીવ સ્વરૂપ જીવ અસંખ્યાત પ્રદેશી અરૂપી સદા ઉપયોગી સુખ દુઃખને વેદક એહવે જીવ જાણીને સંયમી પાળે એ સૂત્રે તે જીવને સુખ દુઃખને જાણ કહ્યો છે. જેહવું તુજને સુખ વાહલું છે દુઃખ અલખાણું છે. તિમ સર્વ જીવને સુખ વાહલું છે દુઃખ અલખામણું છે. ઈમ જાણી સંયમનુષ્યને પ્રવર્તે ઈમ કહ્યું છે. છતાં તે સર્વ જીવ પાસે કેવળ જ્ઞાન કહ્યું નથી. એમ ત્રીજા પક્ષનું કહેવું છે. તેનું કેમ? ઉત્તર–ત્રીજા પુરૂષનું છે કે કહેવું છે તે ઠીક પણ પિતાના મત ઉપર જઈ કઈ કઈ લખાણમાં તફાવત રહે છે અને કઈ લખાણમાં બંધનકારક પણ થાય છે. જ્યારે ઉપરના લખાણમાં છેવટ લખે છે કે ઈહાં તે સર્વ જીવ પાસે કેવળ જ્ઞાન કહ્યું નથી. તે તે ઠીક પણ અમુક જીવ પાસે તે હેવું જોઈએ એમ તેઓના લખાણ ઉપરથી જણાય છે. વળી તેઓ એમ પણ લખે છે કે-જીવ સ્વરુપ, જીવ અસંખ્યાત પ્રદેશી અપી સદા સઉપયોગી સુખ દુઃખને વેદક એહવે જીવ જાણીને સંયમ પાળે આમ લખી તે ગયા પણ તેમાં રહસ્ય રહેલું છે તે કાંઈ સમજાયું હોય એમ જણાતું નથી. જે જીવ સદા ઉપયોગી છે તે ઉપયોગ તે બે પ્રકારના એક સાકાર ઉપયોગ ને બીજે મણકાર ઉપયોગ એટલે જ્ઞાન અને દર્શનને ” ઉપગ જીવને સદાય છે તે સત્તામાં પણ જીવને જ્ઞાન દર્શન પણ છે. હવે, “જે આયા સે વિન્નાયા વિન્નાયા સે આયા જેણે વિજાઈ એ આયા” આ શબ્દ આત્મવાદીને માટે છે એટલે ભવ્ય જીવને માટે છે. અને આત્મ જ્ઞાન પણ ભવ્ય જીવને જ થાય છે. તેજ આત્માનું સ્વરૂપી જાણી શકે છે તેજ યથાર્થ સંયમ ધર્મને પાળી શકે છે. અને આયારાંગજી પણ એમજ જણાવે છે. જુઓ આચારાંગજી સૂત્રનું ભાષાંતર-કલમ (૩૨૧ મી) जे आया से विनाया । जे विनाया से आया। जेण विजाणति से आया । तं पडुच परिसंखायए एस आया भाया वादी समियाए परि - याए बिया हिते तिबेमि ॥ ३२१ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy