SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન સૂત્રનું અઠ્ઠાવીસમું અધ્યયન પણ એમજ જણાવે છે કે-મતિ તાદિ જ્ઞાન વડે જે જાણેલું જીવા જીવાદિ નવ પદાર્થનું સ્વરૂપ તેને સત્યપણે ખરીને ખરી અને બેટીને બેટી શ્રદ્ધાથી જેને શ્રદ્ધારૂપ દર્શન એટલે સમકિત પ્રાપ્ત થયું. અને તે સમ્યફ જ્ઞાન દર્શન વડે નવાં કર્મને આવતાં અટકાવનારૂં જે ચારિત્ર તેને પ્રગટ કરી તપ રૂપ અગ્નિ વડે કેવળને આવરેલા કર્મ રૂપ મેલને બાળી આત્મ જ્યતિ રૂપ કેવળ જ્ઞાનને પ્રગટ કરે છે. એટલે આત્માના મૂળ ગુણ આત્માને મૂળ સ્વભાવ આત્માની મૂળ સત્તા આત્માની મૂળ અદ્ધિ જે કેવળ જ્ઞાન તેને પ્રગટ કરવાના એ પ્રાગ છેતેથી એમ માનવાનું નથી કે તે પ્રવેગ વડે નવું કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય. કેવળ તે મોક્ષ પ્રાપ્ત ભવ્ય જીવને સત્તામાં છેજ એમ ચોક્કસ માને. મોક્ષ પ્રાપ્ત ભવ્ય જીવની પાસે સતામાં અઠ્ઠાવશે પ્રકૃતિ મેહનીય કર્મની કહી છે તેમ અભવીને કહી નથી, અભવીને છવીશજ પ્રકૃતિ સત્તામાં કહી છે. આ સમવાયાંગજીના ૨૬ મા-ર૭ મા-અને ર૮ મા–સમવાયનું રહસ્ય જાણશે તે કેવળ જ્ઞાનની પ્રાપ્તિના ઉપાયની સમજણ તરતજ પડી આવશે, કે કેવળનું બીજક જે સમક્તિ જે જીવને સત્તામાં હોય તેને કેવળ પણ સત્તામાં હોય. એટલે જેમ બીજમાં વૃક્ષ હોય તેમ સમક્તિ રૂપ બીજકમાં કેવળ હેય એ નિસંશય છે. પ્રશ્ન ૫૪ મું–શિષ્ય–ત્રીજો પક્ષ છ દ્રવ્યનું સ્વરૂપ જણાવતાં કહે છે કે-આઠ કર્મ તે ઉદય ભાવે છે, જીવ તે અનાદિ પરિણામિક ભાવે છે, કેવળ જ્ઞાન તે ક્ષાયક ભાવે છે, અને સંસારી જીવ ત્રણે ભાવે છે. ઔદયિક ૧, પથમિકર ૨, પરિણામિક ૩, સર્વ સંસારી જીવને ક્ષાયક ભાવ આવ્યો નથી તે કેવળ જ્ઞાન કયાંથી? અને ઉપજ્યા વિના સત્તાએ કયાંથી? જે કઈ સર્વ જીવને સત્તાએ કેવળ જ્ઞાન કહે છે તે સૂત્ર વિરૂદ્ધ પણ ભવ્ય જીવ કેવળ જ્ઞાનને યોગ્યતા છે એ સત્ય. આ પ્રમાણે ત્રીજા પક્ષનું કહેવું ઉત્તર–કેવળ જ્ઞાન તે ક્ષાયક ભાવે છે તે વાત સત્ય છે. પણ કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પહેલાં ક્ષાયક ભાવ જીવને આવે છે કે-પછી? જીવને હાયક ભાવ તે કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પહેલે થાય છે તે મેક્ષ પ્રાપ્ત ભવ્ય જીવને જ થાય છે ને તે સંસારી પણ છે. સંસારી જીવમાં ત્રણ ભાવ કહ્યા છે. તેનાં પશમ ભાવ પણ કહ્યો છે. અને પશમ ભાવમાંથી ક્ષાયક ભાવ પ્રગટ થાય છે તે ઉદય ભાવમાં રહેલા આઠ કર્મની પ્રકૃતિઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy