SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ લેઢાને અને સરાણને જે દખલે આપવામાં આવ્યું છે તે સંબંધી એટલું જ સમજવાનું છે કે-જે લોઢાને આરસ બન્યું અને તેજ નીકળ્યું તે લેઢામાંથી નીકળ્યું કે સરાણમાંથી આવ્યું? લેઢાને કકડા કર્યો તેમાંથી તેજ ન નીકળે પણ સરાણના ઘસારાથી કાટને નાશ થઈ અંદરના રહેલા તેજસ્વી પુદગળે ઝળકે–દાખલા તરીકે, અરણીમાં અગ્નિ રહેલી છે પણ અરણીના કકડા કર્યો અગ્નિ નીકળે નહિ, પણ તેને સર કર્યો અંદરોઅંદર ઘસવાથી અગ્નિ પ્રગટ થાય છે.–બીજો દાખલે, ચકમકમાં અગ્નિ છે, પણ ચકમકના કટકા કર્યો અગ્નિ નીકળતી નથી, પરંતુ ચકમકને લેઢાના કડાના ઘસારે ચકમકમાંથી અગ્નિ પ્રગટ થાય છે. તે અરણી તથા ચકમકમાં સત્તામાં અગ્નિ ન હોય તે નીકળે કયાંથી ? માટે માને કે જેમ અરણીમાં અને ચકમકમાં અગ્નિ સત્તામાં રહેલી છે, તેમજ લેઢામાં પણ આદર્શ બનવાનાં તેજસ્વી પુગળ રહ્યા છે. તે ઉપરના ન્યાયે સરાણના ઘસારાથી આદર્શ બને, તેજસ્વી પુગળના ઉપરને કાટ ખસી જવાથી તે ચળકીમાં આવે. તેજ ન્યાયે ભવ્ય જીવ પાસે સત્તામાં કેવળ જ્ઞાન છે, પણ કમ રૂપી કાટ ચડેલે હોવાથી તે પ્રકાશમાં આવતું નથી પણ જ્યારે આત્મા શક્તિવાન થાય છે ત્યારે આપ આપ ગંદી ભેદ કરી–એટલે અનાદિની મિથ્યાત્વની ગંઠાને તેડી સમક્તિ રત્નને પ્રગટ કરે છે તે સમતિ સહિત એટલે-જ્ઞાન, દર્શન, ચારિત્રને તપ રૂપ સરાણના પ્રયોગે કર્મ રૂપી કાટને દૂર કરી જીવની પાસે–આત્મ પ્રદેશની સાથે જે રહેલા કેવળ જ્ઞાનના પર્યવે તેને પ્રકાશમાં લાવે એટલે જે કેવળ જ્ઞાન કર્મો કરીને અવરાયેલું તે પ્રકાશમાં આવ્યું. સમય જ્ઞાન દર્શન ચારિત્ર અને તપના પ્રયોગથી અને સદ્ગુરૂના યેગથી કાંઈ નવું કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે એમ નથી પણ જે જીવની પાસે સત્તામાં કેવળ જ્ઞાન છે. તેને પ્રગટ કરે છે. દાખલા તરીકે પૃથ્વીમાં સેનું તે રહેલું છે. પણ બધી પૃથ્વીમાં સોનું નથી, પણ જે પૃથ્વીમાં સનું છે. તે પણ માટી મિશ્રિત પૃથ્વીના જ સ્વરૂપે રહેલું હોય છે. તેને તેના શેધક અનેક પ્રકારનાં ક્ષારનાં પ્રાગે અગ્નિની ભઠ્ઠીઓ કરી નાની સાથે તરૂપે મળેલી પૃથ્વીની મલીનતાને બાળી દૂર કરી સેનાને સેનાપણાના રૂપમાં પ્રગટ કરે છે. તે ન્યાયે જીવને લાગેલાં કર્મ વડે કેવળ જ્ઞાનને આવરેલા કર્મ દળને જપ તપાદિ અગ્નિના પ્રવેગ વડે કર્મ રૂપ મેલને બાળી આત્માને નિર્મળ કરી કેવળ જ્ઞાન રૂપ અદ્ધિને પ્રગટ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy