________________
૨૯૮
છે તે માટે ભવ્ય જીવને થતા કહી છે.–અભવ્ય કહ્યા આ પ્રમાણે ત્રીજા પક્ષનું બેસવું છે તેનું કેમ?
ઉત્તર–ઉપરના બધા લખાણ ઉપરથી ત્રીજા પક્ષને અભિપ્રાય એમ જણાય છે કે–સર્વ જીવ પાસે સત્તામાં કેવળ જ્ઞાન નથી. અને ભવ્ય જીવ કેવળજ્ઞાન પામવાને ગ્યતા વાળે છે પણ સત્તામાં કેવળ જ્ઞાન ભવ્ય જીવને પણ નથી. તે કહેવાનું કે ભવ્ય જીવને કેવળ જ્ઞાન સત્તામાં નથી. તે પ્રગટ થયું કયાંથી ?
અનુગદ્વારની વૃત્તિનું જે દષ્ટાંત આપ્યું છે, તેમાં તે કહ્યું છે કેઆદર્શ મંડળને આવરણ થવાથી જેમ તેની પ્રભા દેખાય નહિ. આવરણ ખસે તે પ્રભા દેખાય તેમ તદાવરણ કર્મના આવરણથી કેવળજ્ઞાન પ્રકાશ કરી શકે નહિ. પરંતુ કર્મનું આવરણ ખસે તે કેવળ જ્ઞાનને પ્રકાશ થાય. તે સત્તામાં સર્વ જીવને નહિ પણ મેક્ષ પ્રાપ્ત ભવ્ય જીવને સત્તામાં કેવળ જ્ઞાન છે તે કર્મનું આવરણ ખસવાથી કેવળ પ્રગટ થાય. અને જો એમ ન હોય તે એટલે કેવળ જ્ઞાન સત્તામાં ન હોય તે જીવને આડે કર્મનું આવરણ કહ્યું છે તે તે કમેં કોને આવરણ કર્યું ? કોઈ પણ વસ્તુને આવરણ હોવું જોઈએ.
સૂત્રને ન્યાય પ્રમાણે સમક્તિને આવરણ મેહનીય કર્મનું છે અને કેવળજ્ઞાનને આવરણ ચાર ઘાતી કર્મનું છે, તેમાં પણ મુખ્યત્વે મોહનીય કર્મ કહેલ છે.
વળી ભગવતીજીમાં જીને અનંતા જ્ઞાનના પર્યવ અનંતા દર્શનના પર્યવ અનંતા ચારિત્રના પર્યવ ઈત્યાદિક કહેલ છે તે પર્ય કયાં રહ્યા હશે ? એટલે પણ વિચાર કર્યા વિના ભવ્ય જીવને પણ સત્તામાં કેવળ જ્ઞાન નથી, એ વાકય કેવા પ્રકારનું કહેવાય? ભગવતીજી વગેરેમાં જીવની સ્વપર્યાય પરપર્યાય વગેરે કહેલ છે તે જ્ઞાન સિવાય સ્વપર્યાય કઈ કહેશો? અને જે ભગવતીજીમાં કહ્યા પ્રમાણે જ્ઞાન, દર્શન, ચારિત્રાદિક જીવની પર્યાય-જીવના પર્યવ કબુલ કરશે તે તે દરેક જીવને સત્તામાં રહેલ છે. ભવ્ય કે અભવ્ય જે જે બેલ ઘટે તે જ્ઞાન દર્શનાદિકના પર્યાવન બેલ સત્તામાં ઘટાવવા જોઈએ. લાગુ કરવા જોઈએ.
આપણે ગતાને અર્થ એમ કરીએ કે કેવળ જ્ઞાન પામવા ગ્ય ભવ્ય જીવને કેવળ જ્ઞાન પ્રગટ થાય-અર્થાત્ ઉત્પન્ન થાય એ વાત તે સર્વને માન્ય છે, પણ ભવ્ય જીવને કેવળ જ્ઞાન મૂત્તામાં ન હોય તે ઉત્પન્ન થાય ક્યાંથી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org