________________
૨૮૯
ઉત્તર–હા, જ, સાંભળ-બાબુવાળા છાપેલા શ્રી આચારાંગજી સૂત્રના અધ્યયન પાંચમે-ઉશે પાંચમે-ટાંકામાં તથા ભાષામાં કહ્યું છે કેઅભવીને એ વિચાર થાય નહિ કે હું ભવી હોઈશ કે અભવી હઈશ ? એ વિચાર અભવીને ન હોય.
આ ઉપરથી એમ નિશ્ચય થાય છે કે ભવી અભવીને જેને વિચાર થાય તે ભવી હોય.
ઇત્યાદિ ભવી અભવીને પટંતરે અનેક દાખલાથી જણાઈ આવે છે.
પ્રશ્ન ૩૮ મું–શિષ્ય-અભવી નવ પૂર્વનું ય અગ્યાર અંગનું જ્ઞાન મેળવે એમ શાસથી નિર્ણય થાય છે. તે શાસ્ત્રમાં ભવી અભવીની વ્યાખ્યા આવે ત્યાં શી રીતે કરે ? પિતે વ્યાખ્યા કેવી રીતે આપે ?
ઉત્તર–જેમ વ્યવહારથી સૂત્રજ્ઞાન મેળવે તેમ વ્યવહારથી ભવી અભવીની વ્યાખ્યા પણ આપે પણ નિશ્ચયથી અભવીને એમ ન થાય કે હું ભવી હઈશ કે અભવી હઈશ? એ વિચાર ન થાય. કારણકે-નિશ્ચયમાં મિથ્યાત્વ મોહનીયની આંતરિક પ્રબળતા છે. તેથી તેનું જ્ઞાન તે અજ્ઞાનરૂપે ગણાય છે. એટલે જિનેક વસ્તુનું સ્વરૂપ તરૂપી જાણી શકે નહિ.
પ્રશ્ન ૩૯ મું–સર્વ જીવ સરખા છે, સર્વ જીવ સિદ્ધ સમાન છે, સર્વ આત્મા જ્ઞાનવાન છે. સર્વ આત્મા છાદ્ધિ શકિતએ સરખા છે. એમ ભવ્ય અભવ્યને સિદ્ધના જીવને કોઈ અપેક્ષાએ સરખા કહી શકાય કે કેમ?
ઉત્તર–જૈન સૂત્ર અનેકાંત છે, જેમાં અનેક રહસ્ય રહેલાં છે, કોઈ અપેક્ષાએ ભવ્ય અને અભિવ્ય સરખા ગણાય, કેઈ અપેક્ષાએ ભવ્ય અને સિદ્ધ સરખા ગણય, કેઈ અપેક્ષાએ ભવ્ય અભવ્ય અને સિદ્ધના જીવ પણ સરખા ગણાય છે. અને કોઈ અપેક્ષાએ જુદા પણ ગણાય છે ખરા.
પ્રશ્ન ૪૦ મું—ભવ્ય અને અભવ્યના જીવ કઈ અપેક્ષાએ સરખા ગણાય?
ઉત્તર– અભવીને ૨૬ પ્રકૃતિ રૂપ અને સંસારસ્થ ભવ્ય જીવને ર૭ પ્રકૃતિરૂપ મોહનીય કર્મની એટલે જ્ઞાનાવરણીયાદિક આઠે કર્મની નિવડ ગાંઠને લઈને અસંખ્યાત પ્રદેશમય દ્રવ્ય આત્માની સાથે મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિસંગ જ્ઞાન તથા મિથ્યા દષ્ટિના અનંતા અનંતા પર્યાયરૂપ અનંતી ઋદ્ધિના બળે અનંત શક્તિવાળા આ જીવ પણ ગણાય છે.
પ્રશ્ન ૪૧ મું-ભવ્ય અને સિદ્ધના જીવકઈ અપેક્ષાએ સરખા ગણાય? ૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org