SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૯ પ્રશ્ન ૧૮ મું–કઈ કહે કે–અભવીને શ્રી સમવાયાંગજી સૂત્રમાં કહ્યા પ્રમાણે સમક્તિ મેહનીય અને મિશ્ર મેહનીય સત્તામાં નથી, તેથી તેને સમક્તિ અને કેવળ જ્ઞાન સત્તામાં છે એમ સિદ્ધ થાય છે. કારણકે સમક્તિની પ્રાપ્તિને માટે દર્શન મોહનીયની પ્રકૃતિને ક્ષયોપશમ તથા ક્ષય થવાથી સમક્તિ પ્રાપ્ત થાય છે એટલે દર્શન મેહનીયને નાશ થયે સમક્તિ માનીએ તે અભવીને દર્શન મેહનીયની બે પ્રકૃતિ સમકિત મેહનીય અને મિશ્ર મેહનીય મૂળમાંજ નથી એજ તેને નાશ. માટે અભવીને સત્તામાં સમક્તિ છે. અને સમકિત છે તે કેવળજ્ઞાન પણ છે. જે બે વસ્તુ સત્તામાં છે તે તેને આત્મા પણ સમક્તિ સહિત કેવળ સ્વરૂપ છે, માટે તે સિદ્ધ સમાન છે. ઉત્તર–પ્રકારે બુદ્ધિની ઘટના તે ભારે કરી છે. આ વિષેને કેટલેક ખુલાસો પ્રથમ અપાઈ ગયું છે, તે પણ ભવ્ય અને સમજવાને માટે એટલું જ કહેવું બસ છે કે-અભવીના સંબંધમાં કોઈ બે પ્રકૃતિને ક્ષય માનતું હોય અને સમકિતની સિદ્ધતા પણ તેજ કારણથી માનતું હોય તે પછી અભવીને મિથ્યાત્વ હેવું જ ન જોઈએ. કારણકે સમક્તિ મેહનીયને અને મિશ્ર મેહનીયને નાશ થવાવાળાને પ્રથમ મિથ્યાત્વ મેહનીયને નાશ થાય છે. મિથ્યાત્વ મેહનીય સાબેત રહે અને સમક્તિ મેહનીયને મિશ્ર મોહનીયને નાશ થાય એવું પણ કાળમાં કઈ પણ જીવને બને નહિ. સમતિની પ્રાપ્તિવાળાને અનંતાનુબંધીની ચોકડી અને મિથ્યાત્વ મેહનીયને પ્રથમ ક્ષય, ઉપશમ કે ક્ષોપશમ અવશ્ય થાય. તે સંબંધે વિશેષ સમજુતી મેળવવી હોય તે જુઓ પૂર્વાદ્ધ ભાગ પહેલાનું પ્રશ્ન આઠમું જોઈ નિર્ણય કરે. સમવાયાંગ સૂત્ર તે ખુલા શબ્દમાં અભવીનું ચેકનું નામ પાડીને સમકિત મેહનીય અને મિશ્ર મેહનીય વરજીને મિથ્યાત્વ મેહનીય સહિત છવ્વીશ પ્રકૃતિ સત્તામાં કહે છે. એટલે મેહનીયના આવરણવાળી પણ બે પ્રકૃતિ સત્તામાં નથી તે પછી સમકિત કે જ્ઞાન સત્તામાં હોયજ ક્યાંથી ? સૂત્રમાં કઈ ઠેકાણે અભને સમકિત કે જ્ઞાનની વ્યાખ્યા સત્તામાં આવતી નથી તેનું શું કારણ અને જ્યાં જ્યાં અભવીની વ્યાખ્યા આવે છે ત્યાં તે મિથ્યાત્વ અને અજ્ઞાન સિવાય સત્તામાં કે તેની પર્યાયમાં બીજી વાત આવતી જ નથી. તેમજ સૂત્ર આખ્યાત ધર્મની સેળ કળા મહેલી એક પણ કળા જ્યારે અભવીને સત્તામાં નથી તે પછી સમકિત કે કેવળની આશા હોયજ શેની ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy