________________
ર૭૮
કર્મ જુદું છેજ નહિ તે સૂત્રકાર લાવે કર્યાંથી ? જ્ઞાનાવરણીયની અપેક્ષાએ આઠેને સાકારે પગે જ્ઞાન કહ્યાં છે. અને–
જીવના ભેદમાં તથા પર્યાયાદિકમાં જ્ઞાન અજ્ઞાનને જુદાં પાડ્યાં છે. શ્રી ઠાણાંગજી તથા શ્રી જીવાભિગમમાં સમુચ્ચય જીવમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન મળી આઠ બેલ જુદા કહ્યા છે. અને શ્રી ભગવતીજી સૂત્રમાં આના પર્યાય પણ જુદા કા છે. એ ઉપરથી જ્ઞાન અને અજ્ઞાન જુદાં કરે છે. જેમ સમક્તિને મિથ્યાત્વ જુદું છે તેમ જ્ઞાન અને અજ્ઞાન પણ જુદાંજ છે.
પ્રશ્ન ૧૭ મું–શિષ્ય-કેઇ એમ કહે કે-પાંચે જ્ઞાનને તે નામના જ્ઞાનાવરણીય કર્મનું આવરણ થવાથી તે નામનું આવરણ કહેવાણું તેમ અજ્ઞાનાવરણીય કર્મ કેમ ન કહેવાણું ? માટે અજ્ઞાનાવરણીય કર્મ નથી પણ જ્ઞાનને આવરણ થવાથી તે નામનું અજ્ઞાન કહેવાય છે, એટલે જ્ઞાનનું આવરણ તેજ અજ્ઞાન છે. અજ્ઞાન કોઈ બીજી વસ્તુ નથી તેમ અજ્ઞાનાવરણીય કર્મ પણ કહ્યું નથી. આમ કેઈ કહે તેનું શું સમજવું ?
ઉત્તર–ઉપરોક્ત બેલતાં પ્રત્યે તેના જવાબમાં એટલું જ બસ છે કે જ્ઞાન પાંચ છે અને અજ્ઞાન ત્રણ છે, તે તમારા કહેવા પ્રમાણે મતિ જ્ઞાનના આવરણથી મતિ અજ્ઞાન કહેવાણું હેય, શ્રુત જ્ઞાનાવરણીયથી શ્રુત અજ્ઞાન, અને અવધિજ્ઞાનાવરણીયથી વિલંગ જ્ઞાન કહેવાયું હોય તે–મન:પર્યવ જ્ઞાનાવરણીય તથા કેવળ જ્ઞાનાવરણીયના આવરણથી શું કહેવું ? મન:પર્યવ અજ્ઞાન અને કેવળ અજ્ઞાન કોઈ સૂત્રમાં જોવામાં આવતાં નથી. આ ઉપરથી અભવીને સત્તામાં મન:પર્યવ જ્ઞાન અને કેવળ જ્ઞાન ચેકસ નથી એમ સૌ કઈને કબુલ કરવું પડશે.
, જે આવરણ અને અજ્ઞાન જુદાં હોય તે પાંચ જ્ઞાનમાંનું એકે જ્ઞાન અભાવીને સત્તામાં નથી, માત્ર ત્રણ અજ્ઞાન છે. તેમાં મતિ કૃત અજ્ઞાન અનાદિ અપર્યવસિત છે તેમજ મિથ્યાત્વ મેહનીય પણ અનાદિ અનંત છે. અભવીને જેમ તેજસ કાર્મણ શરીરને અનાદિ અનંત બંધ રહ્યો છે, તેમજ મતિ શ્રત અજ્ઞાન અને મિથ્યાત્વ મેહનીયને અનાદિ અનંત બંધ કહ્યો છે. અને વિભંગ જ્ઞાનને પશમ થયે કઈ વખત હેય અને ન પણ હોય. તેની સ્થિતિ તે ઉત્કૃષ્ટી ૩૩ સાગરની કહી છે. પણ ત્રણે અજ્ઞાન અને મિથ્યાત્વના પર્યવ અભવીને સત્તામાં સદાકાળ હોય. જ્ઞાન, દર્શન, ચારિત્રના પર્યવ હોયજ નહિ. એમ સૂત્રથી સિદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org