________________
૨૭૭
કર્મ બન્ને જુદા છે એમ શ્રી ભગવતીજી સૂત્ર તથા પન્નવણાજી સૂત્ર વગેરે સૂત્રોથી નિર્ણય થાય છે.
સમક્તિને મેહનીય કર્મનું આવરણ થવાથી મિથ્યાત્વ અને મતિ મુતાદિ પાંચ જ્ઞાનને આવરણ થવાથી અજ્ઞાન વગેરે કરેલા પ્રશ્ન ઉપર પૂરતું ધ્યાન રાખજે.
ઉપરોકત કહ્યા પ્રમાણે સમક્તિને મેહનીય કર્મનું આવરણ થયું તે મિથ્યાત્વ. તે મિથ્યાત્વને કેનું આવરણ લાગ્યું કે દર્શન મેહનીયની ત્રણ પ્રકૃતિ કહી છે તેમાં પહેલી જ મિથ્યાત્વ મેહનીય કહી ને પછી સમક્તિ મેહનીયને મિશ્ર મેહનીય કહી. ત્રણેને મેહનીય કર્મનું આવરણ ઠરશે તે પ્રશ્નકારના વિચારને ધક્કો લાગશે. કારણકે-પ્રશ્નકરે તે મેહનીયને અને મિથ્યાત્વને એકજ અર્થ કર્યો છે. અને સૂત્ર તે ત્રણેને મોહનીયનું આવરણ કહે છે, માટે ત્રણે વસ્તુ જુદી છે તેમાં વળી અભવીને બે વસ્તુની નાસ્તિ કહી છે, તે મિથ્યાત્વને પણ મેહનીયનું આવરણ છે અને જુદું પણ છે. સમક્તિને ને તેને કોઈ પણ સંબંધ નથી, ત્રણે પ્રકૃત્તિ જુદી જ છે.
પ્રશ્ન ૧૬ મું–ત્યારે કોઈ એમ કહે કે–અભવીને સમક્તિ તે નથી. તે વાત કબુલ છે. પણ સત્તામાં પાંચ જ્ઞાન તે છે તેને આવરણ થવાથી અજ્ઞાન કહ્યાં છે, અજ્ઞાન બીજી વસ્તુ નથી. કારણકે–અજ્ઞાનાવરણીય કર્મ જુદું કહ્યું નથી.
ઉત્તર–જ્યારે અભવીને સમક્તિ નથી, એમ જે નિશ્ચય થતું હોય તે પછી જ્ઞાન હોયજ ક્યાંથી ? “ના સંસળી ના એ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું વાક્ય છે કે સમક્તિ વિના જ્ઞાન હોયજ નહિ. વળી શ્રી ભગવતીજી સૂત્ર તથા શ્રી પન્નવણાજી સૂત્રમાં સાકાર ઉપગને જ્ઞાન ઉપગ કહ્યો છે, અને જ્ઞાન ઉપગમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન મળી–આઠેને જ્ઞાનના ઉપયોગમાં ગણ્યાં છે. તે જ્ઞાનાવરણીય કર્મ તે આઠેને આવરણ કરે છે, ને તે આઠે આત્માને ગુણ છે, આઠે અરૂપી છે, અને જ્ઞાનાવરણીય કર્મ તે તે રૂપી છે. માટે આવરણ તે આઠે જ્ઞાનનું પણ પાંચ જ્ઞાનનું આવરણ કહેવાથી મતિ કૃત અને અવધિ જ્ઞાનના પેટામાં અતિશ્રત અને વિભંગને સમાવેશ થઈ જાય છે. એટલે આવરણના સંબંધે પાંચ જ્ઞાનમાં ત્રણ અજ્ઞાનને સમાવેશ થઈ જાય છે. એટલે પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન એ આઠે ને જ્ઞાનાવરણીય કર્મનું આવરણ છે. અજ્ઞાનાવરણીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org