________________
२७६
કહ્યો છે. જુઓ શ્રી નંદીજી સૂત્ર બાબુવાળા છાપેલ પાને ૨૯૮ મેં થી ૩૦૪ સુધી.
જે અભવ્ય ને અક્ષરને અનંત ભાગ ઉઘાડે કહ્યો છે તે મિથ્યાત્વ શ્રુતને ઉઘાડે છે. અને ભવ્યને માટે જેને સત્તામાં જ્ઞાન હોય તેને સમશ્રતને અને અજ્ઞાન હોય તેને મિથ્યાશ્રુતને ઉઘાડે હેય. તેથી ભવ્ય અભવ્ય તમામ જીવનું ચેતનપણું–ચૈતન્યની ચેતના પ્રગટ થાય છે.
અને પર્યાય જે છે તે તે જીવ દ્રવ્યની અદ્ધિ છે. તેમાં પણ જે જીવની પાસે જે અદ્ધિ હોય તેની પર્યાય સૂત્રમાં કહી છે. તેમાં પણ જે જીવની પાસે જ્ઞાનની અદ્ધિ હોય તે જીવને જ્ઞાનની પર્યાય અને અજ્ઞાન હોય તેને અજ્ઞાનની પર્યાય કહી છે. તેમાં પણ સ્વપર્યાય પરપર્યાય વગેરેને અધિકાર ભગવતીજી તથા પન્નવણજી વગેરે સૂત્રોમાં ખુલાસાથી જણાવ્યું છે. અને કેટલીક બીના પ્રથમ લખાણમાં આવી પણ ગઈ છે.
પ્રશ્ન ૧૫ મું–શિષ્ય-કઈ એમ કહે કે-જીવને અજ્ઞાન કે મિથ્યાત્વ કહેવામાં આવે છે. તેનું કારણ એ છે કે જ્ઞાનને કર્મનું આવરણ થાય છે. તેનું નામ જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. અને જ્ઞાનાવરણીય કર્મ તેજ અજ્ઞાન અને મિથ્યાત્વ કહેવાય છે, અજ્ઞાન અને મિથ્યાત્વ કઈ બીજી વસ્તુ નથી. આ ઉપરથી અભવીને એકલું મિથ્યાત્વ અને અજ્ઞાન કહેવામાં આવે છે. તે જ્ઞાન અને સમકિતને, જ્ઞાનાવરણીય અને મેહનીય કર્મના આવરણથી મીથ્યાત્વ અને અજ્ઞાન કહેવાયું. પણ સત્તામાં પાંચ જ્ઞાન છે, અને સમક્તિ પણ સત્તામાં છે, જે એકલું મીથ્યાત્વ અને અજ્ઞાન જુદું હેત તે જ્ઞાનાવરણીય દર્શનાવરણીયની પેઠે મીથ્યાત્વાવરણીય અજ્ઞાનાવરણીય કર્મ જુદુ હોત; તે તે કોઈ ઠેકાણે જોવામાં આવતું નથી. માટે આવરણ એજ અજ્ઞાન, અને જેના ઉપર આવરણ થયું તે સત્તામાં છે એમ કેઈ કહે તેનું કેમ?
ઉત્તર–હે ભાઈ ! આ પ્રકારના પ્રશ્નને ખુલાસે હમણાજ અપાઈ ગયા છે. શ્રી ભગવતીજી સૂત્રને બારમા શતકમાં કર્મને રૂપી કહેલ છે, અને અજ્ઞાનને અરૂપી કહેલ છે. મિથ્યા દષ્ટિ અને સમક્તિ દષ્ટિ બન્ને અરૂપી છે અને મોહનીય કર્મને રૂપી કહેલ છે. જ્ઞાન અને અજ્ઞાન અરૂપી છે અને તેને આવરણ કરનાર કર્મ કે જે જ્ઞાનાવરણીય (પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાનને આવરણ કરનાર) તે રૂપી છે. એટલે અજ્ઞાન અને જ્ઞાનાવરણીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org