SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૧ સત્તામાં નથી, માટે તે ત્રણ કાળમાં મિક્ષ નહિ જાય, એમ કેવળીએ જાણ્યું અને ગણધર દેવે સૂત્રમાં દાખલ કર્યું. સૂત્રને કેવળીના વાક્ય માનનાર શ્રદ્ધાળુને તે સૂત્ર વચન અવશ્ય ભુલ કરવું પડશેજ. પ્રશ્ન ૫ મું-શિષ્ય-કોઈ કોઈ વખત, કેઈના મુખમાંથી એવાં વાક્ય સાંભળીએ છીએ કે–અભવીના ભવી થાય અને ભવીના અભાવી પણ થાય તેનું કેમ? ઉત્તર–આ વાકય આકાશ કુસુમવત્ છે. કઈ પ્રકારની ક્રિયાથી કે કે કરણીથી કે કોઈ પ્રકારના પરિણામથી અભવી કે ભવીપણું પ્રાપ્ત થતું નથી, પણ શ્રી ભગવતીજી સૂત્રના ૧૨ મા શતકના બીજા ઉદેશે યંતીબાઈએ પૂછેલું પ્રશ્ન કે મસિનિયર મંતે નીવાજિંસમાવગર રણમ ગર?” ત્યારે ભગવતે ખુલ્લું કહ્યું છે કે-“નયંતી! સમાવવા જો પરિણામ .” એટલે ભવ્ય કે અભવ્ય જીવ પરિણામથી થતા નથી પણ સ્વભાવેજ રહ્યા છે. માટે અભવ્યના ભવ્ય ન થાય અને ભવ્યના અભવ્ય ન થાય-એ અનાદિ સ્વભાવ છે. પ્રશ્ન ૬ –શિષ્ય-અભવીને જ્ઞાન નથી તે જ્ઞાનાવરણીય કર્મને બંધ કેવી રીતે થાય ? અને બંધ થાય તે આવરણ કેને કરે ? ઉત્તર–અભવીને સમકિત નથી એમ તે સૂત્રથી સિદ્ધ થાય છે તે વિચારવાનું કે-તે મિહનીય કર્મ તે બાંધે છે. અને મેહનીય કર્મમાં દર્શન મેહનીય એ સમક્તિનું આવરણ છે. તે સમક્તિ વિના શેનું આવરણ કરે? તે જે આપણે સમજવામાં આવશે તે જ્ઞાનાવરણીયનું સહેલાઈથી સમજી શકાશે. પ્રશ્ન ૭ મું–શિષ્ય–તે તે કૃપા કરી સમજાવે કે–અભવને સમકિત નથી, ને તે દર્શન મેહનીય કર્મ બાંધે છે તે તે આવરણ કેને કરે ? ઉત્તર –દર્શન મેહનીયની ત્રણ પ્રકૃતિમાં અભવીને બે પ્રકૃતિ નથી, પણ એક મિથ્યાત્વ મેહનીય સત્તામાં છે તેને દર્શન મેહનીય કર્મનું વિશેષ આવરણ થાય કે જેથી મિથ્યાત્વને નિર્મળ થવા દે નહિ, પણ વિશેષ મલીન કરે કે જેથી મિથ્યાત્વની નિર્મળ કરણી થવા દે નહિ. મિથ્યાત્વની નિર્મળ કરણ સમક્તિને નજીક કરે છે. તામલી તાપસ તથા પૂરણ તાપસના ન્યાયે. આ કરણી માર્ગનુસારીની ગણાય છે. તે દર્શન મેહનીયના આવરણે ગાઢ મિથ્યાત્વ મેહનીયના પ્રભાવે પ્રગટ થવા દે નહિ. જેમ જેમ તે પ્રકૃતિ પાતળી પડતી જાય તેમ તેમ સમકિત નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy