________________
२१७ ઉત્તર–અભવ્યમાં ત્રણ દર્શન લક્ષણ લાભ એક કેવળ દર્શન લક્ષણ ન લાભ.
પ્રશ્ન ૯ મું–આઠમું ચારિત્ર લક્ષણ કહ્યું તે સિદ્ધમાં હોય કે નહિ?
ઉત્તર–સિદ્ધમાં ચારિત્ર લક્ષણ ન હોય. પાંચ ચારિત્ર મહેલું એક ચારિત્ર સિદ્ધમાં ન લાભ.
પ્રશ્ન ૧૦૦ મુ—ભવ્ય જીવમાં ચારિત્ર લક્ષણ હોય કે નહિ ? ઉત્તર ભવ્ય જીવમાં પાંચ પ્રકારનાં ચારિત્ર લક્ષણ લાભ. પ્રશ્ન ૧૦૧ મું–અભવ્ય જીવમાં ચારિત્ર લક્ષણ લાભે કે નહિ?
ઉત્તર–અભવ્ય જીવમાં ચારિત્ર લક્ષણ ન લાભે. અભવ્યમાં પાચ માહેલું ભાવથી એકે ચારિત્ર લક્ષણ ન હોય. વ્યવહારથી સામાયિક તથા છેદેપસ્થાપનીય ચારિત્ર લાભવા સંભવ હોય પણ પરિણામે ચારિત્ર્ય શૂન્ય કહેલ છે. માટે ચારિત્ર લક્ષણ ન હોય. આ પ્રકન ૧૦૨ મું–નવમું તપ લક્ષણ કર્યું તે સિદ્ધમાં હોય કે નહિ?
ઉત્તર–સિદ્ધમાં તપ લક્ષણ નથી. બાર પ્રકારનાં તપ માંહેલે એકે તપ ન લાભે. તથા બાળ તપ, પંડિત તપ, અને બાળ પંડિત તપ ન લાભે.
પ્રશ્ન ૧૦૩ મું ભવ્ય જીવમાં તપ લક્ષણ હોય કે નહિ ?
ઉત્તર ભવ્ય જીવમાં બારે પ્રકારનાં તપ લક્ષણ લાભ. તથા બાળ તપ, પંડિત તપ, અને બાળ પંડિત તપ પણ લાભે. સકામ નિર્જરા, અકામ નિર્જરા બને લાભે તે અપેક્ષાએ.
પ્રન ૧૦૪ મું–અભવ્યમાં તપ લક્ષણ હોય કે નહિ?
ઉત્તર–અભવ્યમાં એક બાળ તપ લક્ષણ હોય, બાકીના તપ લક્ષણ ન હોય. વ્યવહારથી પુગળ સુખની ઈચ્છાએ કદી બારે પ્રકારના તપ કરે પણ નિશ્ચયથી અકામ નિર્જરા હેય. કરણ સમકિતના ઘરની હોય પણ મિથ્યા દષ્ટિ હોય તે તે કરણી અકામ નિર્જરામાં જાય.
પ્રશ્ન ૧૦૫ મું—દશમું વીર્ય લક્ષણ સિદ્ધમાં હોય કે નહિ ?
ઉત્તર–સિદ્ધમાં વીર્ય લક્ષણ ન હોય. બાળ વીર્ય, પંડિત વીર્ય, બાળ પંડિત વીર્ય, એ ત્રણ મહેલું એકે વીર્ય લક્ષણ સિદ્ધમાં ન હોય. અથવા વીર્ય શબ્દ આત્માને ઉત્સાહ, આત્માની શકિત ફેરવવી તે લક્ષણ સિદમાં ન હોય. કદાપિ કોઈ આત્માની અનંત શકિતને લઈ આત્મ વીર્ય શકિત માનતું હોય તે ના નહિ. પણ ફેરવવા રૂપે તે નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org