________________
૨૫૭
ઉત્તર—તત સંબંધી આગળ ઉપર લખાણ સમજુતીપૂર્વક જણાવવામાં આવશે. પરંતુ અહિંયાં તે આપણે એટલુંજ જાણવાનું છે કેસર્વ જીવની સમુચે દ્ધિ જે કહેવામાં આવી હોય તે જુદા જુદા જીવની પૃછામાં જે જીવને જે બેલ લાગુ થતે હેય તેજ બેલ લાગુ કજોઈએ. એમ કદિ હાય નહિ કે એક અમુક જીવને જે બેલ કહ્યો હોય તે સર્વ જીવને લાગુ થાય એ ન્યાય સૂત્રને હોય નહિ. દાખલા તરીકે જીવ અને સિદ્ધનું સ્વરૂપ જાણ્યા વિના સિદ્ધ સમાન આત્મા છે એમ સમાની અભવ્યને સિદ્ધ સમાન ગણી સિદ્ધની બરાબર અભવીને ક્ષાયક સમતિ, કેવળજ્ઞાન અને કેવળદર્શન સત્તામાં માનવા તે કેમ ઘટે ? માત્ર અસંખ્યાત પ્રદેશાત્મક દ્રવ્યઆત્માની એકતાને લઈને ભવ્ય અભવ્ય અને સિદ્ધને તમામ અદ્ધિએ સરખા ગણવા અને મેહનીએ આવરેલ એવું પણ સમક્તિ જેને સત્તામાં નથી એટલે સમવાયાંગ સૂત્રમાં કહ્યા પ્રમાણે અભવીને સમક્તિ મેહનીય અને મિશ્ર મેહનીય બે પ્રકૃતિ મળેથી જ સત્તામાં નથી તેને સત્તામાં સમકિત અને કેવળજ્ઞાન સત્તામાં માની સિદ્ધની બરાબર અભવી ગણવે. તે સત્ર કેમ કબુલ કરે? દ્રવ્યાત્માની સાથે બીજી લબ્ધિઓ–બીજા ગુણે સત્તામાં સરખા હોય તે જ તે તેને બરાબર ગણાય, એ સૂત્રને
ન્યાય છે. જેમ શ્રી ઠાણગજી સત્રમાં એકજ આત્મા કહ્યો છે તેમજ શ્રી ભગવતીજી સૂત્રમાં આઠ આત્મા કહ્યા છે તેને પણ તાજનેએ સાથે વિચાર કરે ઉચિત છે..
પ્રશ્ન ૫૪ મું–શ્રી ઠાણગજમાં એકજ આત્મા કહ્યો અને શ્રી ભગવતીજીમાં આઠ આત્મા કહ્યા છે તેનું શું કારણ?
ઉત્તર–શ્રી ભગવતીજી સૂત્રમાં કહેલા આઠ આત્મામાં પ્રથમ કહેલે. દિવ્યાત્મા અસંખ્યાત પ્રદેશમય સિદ્ધિને અને સર્વ સંસારી જીવને સર ગણી એક ભેદ ઠાણાંગજી સૂત્રમા કદ્દો.
અને શ્રી ભગવતીજી સૂત્રના ૧૨ મા શતકના ૧૦ મા ઉદેશે આઠ આત્મા કહ્યા તે પહેલા દ્રવ્ય આત્માને આશ્રીને બાકીના સાત આત્મા ગુણ રૂપે છે એટલે દ્રવ્ય આત્મા જે ગુણમાં પ્રવતે તે ગુણના નામથી આત્મા ઓળખાય છે. દ્રવ્ય આત્મા જ્યારે કષાયમાં પ્રવતે ત્યારે કષાય આત્મા કહેવાય છે, અને જેગમાં પ્રવર્તે ત્યારે જોગાત્મા કહેવાય, એમ સાકાર મણકાર (જ્ઞાન દર્શન) માં પ્રવતે ત્યારે ઉપગ આત્મા, એમ જ્ઞાન આત્મા, દર્શન આત્મા, ચારિત્ર આત્મા અને વીર્ય આત્માનું સ્વરૂપ જાણવું. એટલે જેમાં દ્રવ્ય આત્મા પ્રવર્તે તે રૂપને આત્મા કહેવાય. તેની સમજુતીને
33
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org