________________
૫
સ’ગ્રહ નયની અપેક્ષાએ ‘ Ì ગયા ? એકજ આત્મા-એકજ જીવ છે. એટલે લેકમાં રહેલા તમામ જીવને એકજ ભેદ કહ્યો, તમામ જીવ ચેતના લક્ષણે સરખા છે. તમામ જીવ તમામ આત્મા અસ`ખ્યાત પ્રદેશ રૂપ દ્રવ્યાત્મા એ સરખા છે, એકજ સ્વરૂપી છે એટલે તમામ જીવનું સરખું સ્વરૂપ છે. આ અપેક્ષાએ કદાપિ કઇ સિદ્ધ સમાન તમામ આત્મા છે એમ માનતું હોય તે તેમ માનવાને જરા પણ વાંધા નથી. આ દ્રશ્યઆત્માને કઇં કેવળ સ્વરૂપે સર્વ આત્મા સરખા છે એમ માની સર્વાત્મા કેવળ જ્ઞાનમય છે. જેમ એગે આયા તેમ અંગે નાણે ઠાણાંગજી સૂત્રમાં પણ કહેલ છે તે ઉપરથી કાઇ આત્મા એજ જ્ઞાન છે એટલે આત્મા કહેા કે જ્ઞાન કહેા એટલે આત્મા એજ કેવળ જ્ઞાન એમ સગ્રહ નયની અપેક્ષાએ કહી શકાય. પરંતુ વ્યવહાર નયની અપેક્ષાએ સૂત્રમાં અનેક ભેદ જણાવ્યા છે જેમ એગે આયા તથા અંગે નાણું કહી જીવને અને જ્ઞાનને એક ભેદ જણાવ્યે તેમજ તેજ સૂત્રમાં બીજે ઠાણે જીવના એ ભેદ કહ્યા જે સિદ્ધ ને સંસારી. એમ ત્રીજે ઠાણે ભવ્ય અભવ્યને સિદ્ધના જીવ એમ ત્રણ ભેદ પણ કહી બતાવ્યા. એમ ભેદાન ભેદ કરતાં જીવના અનેક ભેદ, અનેક ભાંગા, અનેક સ્વરૂપ, અનેક પ્રકાર, અનેક ઋદ્ધિએ કરી સહિત દરેક આત્મા જુદા જુદા પણ કહ્યા છે. સિદ્ધને અકમાં કહ્યા છે અને બાકીના તમામ જીવને સકમાં કહ્યા છે. સિદ્ધના દ્રવ્યઆત્માના એકજ ભેદ છે અને સકમાં જીવના અનેક ભેદ છે. કર્માશ્રિત જીવના અનેક ભેદ છે તેમ તેની ઋદ્ધિમાં પણ અનેક તારતમ્યતા રહી છે. તે આગળ પાછળના લખાણ ઉપરથી જણાઈ આવશે.
હવે જેમ આત્માના એક ભેદ અને અનેક ભેદ જણાવ્યા તેમ જ્ઞાનના પણ એગેનાણે કહી જ્ઞાન શબ્દે એકજ ભેટ સાકાર પયોગ તે નાન ઉપયેગને સૂત્રમાં એક ભેદ કહી તેના પણ અનેક ભેદ એટલે જ્ઞાનના આડ ભેદ પણ કહ્યા છે. એમ દરેક વસ્તુના જીવને આશ્રીને જ્ઞાનાદિક ઋદ્ધિમાં પણ અનેક ભેદ કહ્યા છે તે સૂત્ર જ્ઞાનથી સમજવામાં આવે છે, એકાંત પક્ષે નહિ જાતાં અનેકાંત એવા સૂત્રના આધારે દરેક જીવના ભેદાનભેદ સમજી નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ જાણી જ્યાં નિશ્ચયની જરૂર હોય ત્યાં નિશ્ચેનો વિચાર કરવા અને જયાં વ્યવહારની જરૂર હોય ત્યાં વ્યવહારને બળવાન કરવા, એ જૈન સિદ્ધાંતની શૈલી છે.
માટે
પ્રશ્ન ૧૩ મુ—નિશ્ચય વ્યવહાર અથવા એકાંત અનેકાંત અથવા સ્યાદવાદ વગેરેનુ સ્વરૂપ શી રીતે છે તે જણાવશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org