________________
૨૫૬
બીજે ન્યાય-કુકડી વિના ઇંડું નહિ, અને ઇંડા વિના કુકડી નહિ, એ સિદ્ધાંત અનાદિ સિદ્ધ છે. તેમ જે જીવની પાસે સત્તામાં કેવળજ્ઞાન ને કેવળદર્શન હેય તે જીવને સત્તામાં અવશ્ય સંખ્યદર્શન પણ હોય. એક હેય ને એક ન હોય એ કઈ જીવ હોયજ નહિ જે હોય તે સત્તામાં બન્ને હોય, અને ન હોય તે સત્તામાં બન્ને ન હોય. માટે ભવી કે અભવીને જે સત્તામાં સમ્યક્દર્શન નથી તે સત્તામાં કેવળજ્ઞાન ને કેવળદર્શન પણ નથી. જે અભવીને સત્તામાં કઈ કેવળજ્ઞાન ને કેવળદર્શન માનતું હોય તે સત્તામાં સમ્યક્દર્શન અવશ્ય માનવું જોઈશે.
પ્રશ્ન ૪૯ મું–ત્યારે કઈ કહે કે-શ્રી સમવાયંગ સૂત્રમાં અભવીને બે પ્રકૃતિઓ સમ્યક મેહનીય અને મિશ્રમેહનીય હેય નહિ માટે અભવને સમક્તિ તે ત્રણે કાળમાં ફરશે નહિ, એમ તે સૌ કોઈ કબુલ કરે તેમ છે. અને શ્રી ભગવતીજી સૂત્ર વગેરેના કેટલાક દાખલાથી સિદ્ધ થાય છે પણ કેવળજ્ઞાન અને કેવળદર્શન રૂપ સર્વને આત્મા રહ્યો છે માટે સત્તામાં કેવળજ્ઞાન અને કેવળદર્શન હોય એમ કેટલાકનું માનવું છે તેનું કેમ ?
ઉત્તર–એ પ્રકારે માનવું સૂત્રના ન્યાયે યુક્ત નથી. સર્વ જીવન આત્મા અસંખ્યાત પ્રદેશ સરખા છે, અક્ષરને અને તમે ભાગ શ્રત જ્ઞાનની અપેક્ષાએ સર્વ જીવને ઉઘાડો છે તે અપેક્ષાએ પણ સરખે છે. સર્વ જીવની અનંતી શક્તિ કહેવામાં આવે છે તે પણ અપેક્ષાવાચી છે. ભવ્ય અને અભવ્ય જીવની કૃદ્ધિમાં અને તે તફાવત છે, અભવ્ય નિગેનું શ્રુત જે હોય તેથી નારકી, તિચિ, મનુષ્ય અને દેવતાનું શ્રુત અનંત ગણું અધિક હોય, તેમજ અભવીને વિભંગ જ્ઞાન અથવા કેવળ ચરિયાદિ ગુણેને લઈને અભવીના આત્માની અનંત શક્તિ કહી શકાય તેમાં લધ્યાદિક ગુણોને સંભવ નથી
ભવ્ય જીવના આત્માની અનંત શક્તિના ભેદ પણ અનેક છે, નિગદમાં રહેલા ભવ્ય જીવ અને તે સિવાયની બીજી ગતિમાં રહેલા ભવ્ય જીવોના કૃત જ્ઞાનથી માંડી ત્રણ અજ્ઞાન અને પાંચ જ્ઞાનની અનેક પ્રકારની લબ્ધિઓની પ્રાપ્તિના છેવટ કેવળજ્ઞાન ને કેવળદર્શન સુધીમાં આત્માને શક્તિના અનેક વિકલ્પ થાય છે. માટે આત્માની અનંતી શક્તિના સંબંધમાં ભવ્ય જીવ અને અભવ્ય જીવ વચ્ચે અનતું અંતર છે.
પ્રશ્ન પ૦ મું–ત્યારે કઈ કહે કે–તે પછી અભવીને કેવળ જ્ઞાનાવરણીય કેવળ દર્શનાવરણીય કર્મને બંધ કેવી રીતે હોઈ શકે ? કારણકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org