________________
ઉત્તર–અહિંયાં પ્રથમ આપણે એટલું જાણવું જોઈએ કે-પૂર્વોક્ત કહ્યા પ્રમાણે અભવી ને સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન નથી તે ચારિત્ર હોય કે કેમ? તે સંબંધી સૂત્ર શે ખુલાસે આપે છે તે પણ ખાસ કરીને જાણવું જોઈએ.
પ્રશ્ન ૩૭ મું–ચોકખું ચારિત્ર પાળ્યા વિના નવયકે જાય નહિ, ચારિત્રને આરાધક હોય તેજ નરસૈવેયકે જાય એમ જ્યારે સૂત્ર ફરમાવે છે અને અભવીની ગતિ પણ નવરૈવેયક સુધી કહી છે તે પછી તેમાં ચારિત્ર છે કે નહિ ? એ સવાલ ઉઠેજ શાને?
ઉત્તર–તે વિષે ઘણું લંબાણવાળું લખાણ છે પણ હાલ તે ટુંકાજ શબ્દથી જણાવવાની જરૂર છે. તે પણ સૂત્ર પાઠથી સહેલાઈથી સમજી શકાય તેવી રીતે શ્રી ઉત્તરાધ્યયનછ સૂત્રના ૨૮ મા અધ્યયનની ગાથા ૨૯ મી તેમાં શું જણાવે છે તે સાંભળ
नस्थि चरित्तं समत्तविहुणं, दसणेण उभयव्वं
समत्त चरित्ताई, जुगवं पुन्य च समत्तं ॥२९॥ ભાવાર્થ–સમ્યકત્વ વિના ચારિત્ર નથી, સમ્યક્ત્વથી જ ચારિત્ર પ્રાપ્ત થાય છે અથવા સમકિત હોય તે પણ ચારિત્ર હોય અને ન પણ હોય એટલે સમ્યકત્વમાં ચારિત્રની ભજન છે. સમકિત અને ચારિત્ર બને હોય તેમાં પહેલું સમકિત હોય.
હવે વિચારે કે–અભવીને સમકિત તે છેજ નહિ તે પછી ચારિત્ર તે હોયજ ક્યાંથી ? ઉપરનો પાઠ ચેકનું જણાવે છે કે સમકિત વિના ચારિત્ર હોયજ નહિ.
પ્રશ્ન ૩૮ મું–તે પછી અભવી નવેયક સુધી જાય છે અને ચારિત્રને આરાધક હોય તેજ જાય છે, તેના માટે શું સમજવું ?
ઉત્તર–તેને માટે શ્રી ભગવતીજી સૂત્રના શતક ૧ લે ઉદ્દેશે બીજે ચૌદ બેલની ઉત્પત્તિની પૃછા ચાલી છે તેમાં પહેલા જ બોલમાં મૂળપાઠ તથા ટીકા તથા ભાષામાં બાબુવાળા છાપેલ પાને ૫૮ મે તથા ૫૯ મે કહ્યું છે કે –
असंजय भवियदन्य देवाणं जहणेणं भवण यासीस उकोसेणं उवरिमगेवेज एसु.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org