________________
૨૪૧
પણ સત્તામાં છે. અને જ્યાં સમક્તિ મેહની સત્તામાં નથી ત્યાં જ્ઞાનદર્શન (દર્શનમાં કેવળ દર્શન) ને ચારિત્ર પણ સત્તામાં નથી. એમ સિદ્ધાંત શાક્ષી આપે છે.
પ્રશ્ચ ૨૯ મું–મિશ્ર સમકિતને માટે સંસારસ્થ ભવ્ય જીવને સાંઝની સંઝાને દાખેલે આપે તે જે કે છે તે ઠીક પણ આમાં સૂર્યનું મિત્વપણું રહેતું નથી તે મિથ્યાનાં સાથે મિશ્રપણું કાયમનું હેય તેનું સમક્તિનું અંશરૂપ મિશ્રપણું દેવું જોઈએ તે તે વિષે કઈ દાખલો આપી સમજાવશે ?
ઉત્તર–સાંભળે–અહિંયાં અમાવાસ્યાનાં અંધારારૂપ તે અભવી છે, પડવે ને દિવસે ચંદ્રની એક કળા ખુલ્લી હોય તે રૂ૫ સંસારસ્થ ભવ્ય જીવનું મિશ્ર સમતિ લેવું, મિશ્ર ભાગ ડે અંશ માત્ર ચંદ્રોદયને દેખાવમાં ન આવે તેવું અને અંધકારને વિશેષ ભાગ હોવાથી મિથ્યાત્વ સહચારિણી મિશ્ર મેહનીય પ્રકાશમાં કદિ ન આવે તેવી કળાવાળા જીવ સંસારસ્થ ભવ્ય જીવ લેવા. અને બીજના ચંદ્રથી પુનમના ચંદ્ર તુલ્ય સમતિ મેહનીય અને મિશ્ર મેહનીયની સત્તાવાળા મુક્તિ પ્રાપ્ત થવા યોગ્ય ભવ્ય જીવ લેવા.
પ્રશ્ન ૩૦ મું–શિષ્ય-શ્રી ભગવતીજી સૂત્રમાં ખધકને અધિકારે સૂત્ર પાઠ સર્વ જીવના અનંતા જ્ઞાન, પર્યવ, અનંતા દર્શન પર્યવ, અનંતા ચારિત્રના પર્યવ ઈત્યાદિક કહેલ છે તે અભવીને પણ જ્ઞાન, દર્શન ને ચારિત્રના પર્યવ હોવા જોઈએ તેનું કેમ?
ઉત્તર–પ્રથમ એક વાત ધ્યાનમાં રાખવી કે સૂત્રમાં જ્યાં જ્યાં અધિકાર ચાલ્યા છે, જ્યાં જ્યાં ગૌતમદિકે પ્રશ્ન પૂછયા છે, જ્યાં જ્યાં ભગવંતે ઉત્તર આપ્યા છે ત્યાં ત્યાં ભવ્ય જીવને જ ઉદ્દેશીને કહેવામાં આવેલ છે. કારણકે ભવ્ય જીવની બહુલતાને લઈને અભવ્યને ગૌણતામાં રાખી ભવ્ય જીવનીજ અધિકતા બતાવી છે, તે પણ ટીકાકાર અને ભાગ્ય વાળાંએ આપણી શંકાઓના સમાધાન માટે બન્નેનું સ્વરૂપ જુદા જુદા રૂપમાં જેમ ઘટે તેમ જણાવતા ગયા છે. અને કેટલીક બાબત આપણે સમદષ્ટિથી જોઈશું તે સૂત્ર આપણને તરતજ ખુલાસે કરી આપશે તે જ્યારે કે “મતજક મૂકી પરી” પિતાને મમત્વજકક--હઠવા, પર મૂકે– અલગ કરે છે, અને સૂત્ર પર શ્રદ્ધા હોય તે તરતજ ખરી બાબત સમજવામાં આવી જાય અહિંયાં લેક ભાષા ઉપર કે અન્ય શાસ્ત્રોના
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org