________________
૨૩૧
ઉત્તર–શ્રી નંદીજીમાં સર્વ જીવને અક્ષરને અનંત ભાગ જે ઉઘાડે કહ્યો છે તે શ્રુત જ્ઞાનને ઉઘાડે કહ્યો છે અને કૃતના બે ભેદ કહ્યા છે એક સમકૃત અને બીજું મિથ્યાકૃત, તેના પણ અનેક ભેદ કહ્યા છે તે આગળ પર કહેવાશે. પરંતુ અભાવીનું શ્રત અનાદિ અનંત કહ્યું છે અને ભવીનું કૃત સાદિસાત કહેલ છે.
પ્રશ્ન ૧૧ મું–અભવી તથા ભવીના કૃત વિષે સૂત્રમાં મૂળ પાઠમાં શી રીતે કહ્યું છે તે જણાવશે ?
ઉત્તર–શ્રી નદીજી સૂત્ર બાબુવાળા છાપેલ પાને ૨૯૮ થી ૩૦૪ સુધીમાં એ વિષે ઘણે અધિકાર છે. ત્યાં કહ્યું છે કે-મુળપાઠ
भवसिद्धियस्स सुयं साइयंसपज्जवसियं च अभवसिद्धियस्स सुयं अणाइयं अपज्जवसियं.
ભવ્યસિદ્ધિકનો શ્રુત જ્ઞાન છે તે સાદિ અંત છે. તે જ્યારે મિથ્યાત્વ ફીટીને સમ્યક્ત આવે ત્યારે આદિ છે. અને કેવળ જ્ઞાન ઉપજે ત્યારે શ્રત જ્ઞાનને અન્ત છે તે ભણી આદિ છે અને અંત પણ છે. શેષ ૩ ભાગ નથી, મિથ્યાત્વ અનાદિ છે. પણ ભવ્યને અંત છે. (ચ શબ્દથી એમ પણ સંભવે છે કે-એકેક ભવ્ય જીવેનું કૃત અનાદિ અનંત પણ છે. એટલે મોક્ષ પ્રાપ્ત ભવસિદ્ધિયાનું શ્રત જ્ઞાન આદિ અંત રહિત છે અને સંસારસ્થ ભવસિદિયાનું કૃત અજ્ઞાન આદિ અંત રહિત છે. એમ બે ભાગ પણ સંભવે છે.) અને અભવ્ય સિદ્ધિયાને મતિ શ્રત અનાદિ અનંત છે.
પ્રશ્ન ૧૨ મું–અભવ્ય જીવના શ્રુત જ્ઞાન વિષે શાસ કાંઈ વિશેષ જણાવે છે ?
ઉત્તર–અભવ્યના શ્રતને જઘન્ય ઉત્કૃષ્ટને વિચાર શ્રી નંદીજી સૂત્રમાં કહ્યો છે તે અમે જણાવીયે છીએ.
( જધન્ય તે અક્ષરને અનંત ભાગ ઉઘાડો કહ્યો છે, અને ઉત્કૃષ્ટ તે) અભવ્ય જીવ જે ભણે તે ૧૦પૂર્વ કાંઈ એક ઉણે ભણે, તે ઉણે કેમ ભણે તે કહે છે. જે દશ પૂર્વ ભણ્યાને ધણું નિશ્ચય સંમતિ પામીને પાછા પડે તેપણ તે શુકલ પક્ષી થાય, (અને ઘણે કાળ રહેતે) દેશે ઉણે અર્ધ પૂગળ સંસારમાં રહે અને દશ પૂર્વ ભણે તે તે નિયમા ભવ્યજીવજ હોય.) અને અભવ્યઆશ્રી–દશ પૂર્વ ઉણ ભણે તે સમકિત ફરસ્યા વિના પાછા પડે તે કૃષ્ણપક્ષીપણે રહે તે ભણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org