________________
, રર
ઉત્તર–આ અવસર્પિણને હુંડાઅવશપિણી કહેલ છે તે અનંતકાળે આવે તેમાં આવેલે પાંચમે આરે દુઃખમ આરે તે પણ આકરે. દુઃખમ આરે કે જેમાં ધાર્યાં વરસાદ વરસે નહિ, દુષ્કાળ ઘણું પડે, અકાળે વરસે સાધુના વેશે અસાધુ પૂજાય, સારા અને આત્માથી સાધુ સદાય, ખટપટી અને નિંદકો મનાય, ગુરૂ અથવા ગુરૂથી અધિક ઉપકાર કરવાવાળા-રક્ષણ કરવાવાળા હિતચિંતક તેનાથી કપટ ભાવે વતિ પિતાને સ્વાર્થ સાધી મિથ્યા ભાવે વર્તનારા-જ્યાં ત્યાં વાંકાના બોલનારા-નિંદા અવહેલણાના કરનારા–ગુરૂ-ઉપકારીના મનને દુઃખવનારા--પેટા મનના ધણી, મેઢે મીઠું મીઠું બોલી પાછળથી વાઢી નાખનારા–અથવા કઠોર વચને દુઃખ દેનારા એવા માઠાં મન વચનના ધણ એકાંત અશાંતિને ઉત્પન્ન કરનારા, ગુરૂ ઉપકારીના મનને વચનને દુઃખવનારા એવા છે આ દગાઢ પંચમકાળમાં ઘણું હોય, એજ આ કાળની ખુબી. આવા પ્રકારની પ્રવૃત્તિ જ્ઞાની પુરુષે જાણીને આ પંચમ આરાનું નામ ગાઢ દુપમાં કાળ કહ્યો.
પ્રશ્ન ૯૭ મું–ગુરૂ-ઉપકારીને મને કરી વચને કરી દુઃખવનારા-માઠા મનના ઘણીને શું ફળ મળે ?
ઉત્તર–આ દષમ કાળમાં ગુરૂથી મિથ્યાભાવે પડી વર્તનારા મને કરીને વચને કરીને દુઃખ દેનારા-શ્રી ઠાણુગના ૭ મે ઠાણે-બાબુવાળા છાપેલ પાને ૪૫૭ મેં કહ્યા છે, તે જણાવે છે.
गुरु हिं जणो मिच्छं पडिवन्नो मणो दुहया वइ दुइया-टीकाः-गुरुषु माता पित धर्माचार्येषु ॥ मिच्छं ।। मिथ्याभावं विनय भ्रंश मित्यर्थः प्रतिपन्न आश्रितः ॥ मणों हयंति ।। मनसो मनसा वा दुःखिता दुःखितत्वं दु:खिकारित्वं वा दोहकत्वं या एवं वय दुहयेत्वपि व्याख्येय मिति ॥
ભાષાગુરૂ સાથે લેક મિથ્યાત્વ પ્રતિપન્ન છે, બેટા ચાલે છે, મનનાં દુઃખ ઘણું, વચનનાં દુઃખ ઘણાં.
એવા વિનય રહિત, ગુરૂના દ્રોહી, માઠા મનના ધણી, કઠોર વચનના બેલવાવાળા, અંદર અંદર ભેદના પાડવાવાળા, ફાટફુટ કરાવનારા.
” છિદ્રગષી એવા સાધુને માટે ઠાણાંગજીના પાંચમા ઠાણામાં પારાંચિત” દેષને ધણી કરી છે. એટલે ભગવંત કહે છે કે એવા દુષ્ટ સ્વભાવીને પારાંચિત કરતાં આજ્ઞા અતિક્રમે નહિ.
પ્રશ્ન ૯૮ મું વાવ ના નિuza એ વાકયને ભાવાર્થ શું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org