________________
૨૧૦
પ્રશ્ન ૭૨ મું—પડિમાધારી સાધુને કેટલી ભાષા બોલવી કલ્પે ?
ઉત્તર–દશાશ્રુતસ્કંધ સૂત્રમાં પડિમાધારી સાધુને ચાર પ્રકારની ભાષા બેલવી કલ્પે એમ કહ્યું છે. તે એ કે-જાચતા–વસ્તુ માગતા બેલે? સંદેહ ઉપને પુછે ૨, આજ્ઞા માગતા બેલે ૩, પુછયાને ઉત્તર આપે છે, એ ચાર પ્રકારની જ ભાષા બેલે, શિવાય બોલવું કપે નહિ.
પ્રશ્ન ૭૩ મું-પડિમાધારી સાધુ જ્યાં જાય ત્યાં કેટલું રહે ?
ઉત્તર–પડિમાધારી સાધુને કઈ એમ જાણે જે આમણે પડિમા અંગીકાર કરી છે. એટલે આ ડિમાધારી સાધુ છે. એમ જાણે તે ત્યાં તે ગામમાં માત્ર એકજ રાત્રિ રહે ન જાણે ત્યાં એક રાત્રિ તથા બે રાત્રિ રહેવું કલ્પે. એક કે બે રાત્રિ ઉપરાંત વધારે રહે તે તેને છેદ અથવા તપ પ્રાયશ્ચિત આવે એમ કહ્યું છે, જુવે દસાતસ્કંધ સૂત્ર
પ્રશ્ન ૭૪ મું–પડિમાધારી સાધુ ઉપદેશ દઈ શકે કે કેમ ?
ઉત્તર—પડિમાધારી સાધુને ઉપદેશ દેવાનું ચાલ્યું નથી. પણ પુછયાને ઉત્તર આપે એમ કહ્યું છે.
પ્રશ્ન ૭૫ મું–શ્રાવકને પડિમામાં ઉપદેશ દેવાય કે નહિ ?
ઉત્તર—દસાકૃત આ ધમાં શ્રાવકની દશમી ડિમામાં કહ્યું છે કેદસમી ડિમા અંગીકાર કરનાર શ્રાવકને કેઈ એકવાર અથવા વારંવાર પુછયે થકે–તેને બે ભાષા બેલવી કપે. જે જાણતા હોય તે જાણું છું કહે, અને ન જાણતા હોય તે કહે નથી જાણતે.
અને અગ્યારમી ડિમ અંગીકાર કરે ત્યારે સાધુની પેઠે ભિક્ષાવૃતિએ ગૃહસ્થને ઘરે જતા એમ કહે કે-શ્રમણે પાસક પ્રતિમા અંગીકાર કરનારને ભિક્ષા દેહી-ભિક્ષા આપે. એ પ્રમાણે વિચરતા કોઈ સાધુ જે વેશ દેખીને કહે કે તમે કોણ છે ! ત્યારે તે એમ કહે કે-હું શ્રમણો પાસક પડિમાધારી શ્રાવક છું એમ કહે. અથવા કેઈ સાધુ જાણી વંદણા નમસ્કાર કરે તે એમ કહે કે-હું પડિમાધારી શ્રાવક છું. સાધુપણે પુજાવા માટે વગર બોલે રહે નહિ કે વગર બોલ્યો રહી જીકારે દીએ નહિ. અર્થાત પડિમાધારી શ્રાવકને માટે ઉપર કહેલી ભાષા શિવાય બલવાને અધિકાર સૂત્રમાં તથા તેમના કલ્પમાં જોવામાં આવતું નથી.
પ્રશ્ન ૭૬ મું–પડિમાધારી શ્રાવકને સાધુની પેઠે ગામેગામ એક ગામથી બીજે ગામ વિહાર કરવાનું ક્યા સૂત્રમાં કહ્યું છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org