________________
૧૮૯
ઉત્તર–એક વચન (એક જીવ) આશ્રી જઘન્ય અંતર મુહૂર્તનું ઉત્કૃષ્ટ્ર અર્ધ પુદ્ગલ દેશે ઉણું બહુવચન આશ્રી જઘન્ય ૮૪૦૦૦ ચોરાશી હજાર વર્ષનું ઉત્કૃષ્ટ ૧૮ કોડાકોડ સાગરનું એ પ્રમાણે ભગવતીજીમાં સંજ્યાના અધિકારે કહ્યું છે.
પ્રશ્ન ૩૧ મું— જિન કલ્પીની ગતિ કઈ હોય?
ઉત્તર–જિનકલ્પીની ગતિ ચાલી હોય એમ જણાતું નથી. પણ પરિહારવિશદ્ધ ચારિત્રની ગતિ ઉત્કૃષ્ટી આઠમા દેવલેક સુધીની ભગવતીજીમાં કહી છે. તે ઉપરથી જિનકલ્પીની ગતિ આઠમા દેવલેક સુધીની કહેવામાં આવે છે. કારણકે જ્યાં સુધી તે જિનકલ્પી પણામાં વિચરે ત્યાં સુધી તે પરિહાર વિશુદ્ધ ચારિત્રીઓ ગણાય એ અપેક્ષાએ આઠમા દેવલેક સુધીની કહેવામાં આવે છે.
પ્રશ્ન ૩૨ મું–જિનકલ્પને આચાર તે ઉચે છે છતાં આઠમા દેવલેક સુધીનીજ ગતિ કેમ હોય ? ઘણા લેકે શંકા કરે છે કે તેની ગતિ તે મોક્ષની જ હોવી જોઈએ તેનું કેમ?
ઉત્તર–મક્ષની ગતિ એકે કલ્પમાં છેજ નહિ, એમ ભગવતજી સૂત્ર જણાવે છે પણ કલ્પાંતીતનીજ ગતિ મોક્ષની કહી છે, તે જિનકલ્પી ગચ્છમાં આવ્યા પછી સ્થવિર કલ્પીમાંથી ગુણસ્થાનકની શ્રેણીને ચડતા કલ્પાતીતપણાના ભાવને પામીને કેવળજ્ઞાન પ્રગટ કરી મેક્ષ જાય તેવી રીતે જિનકપીપણામાં બનવા સંભવ નથી-કારણકે પરિહાર વિશુદ્ધ ચારિત્રીયા (જિનકલ્પી) ને માટે કેટલાક એવી શંકાઓ ધરાવે છે કે તેને એ ઉચ્છક ભાવ રહે છે કે ચેકનું ચારિત્ર અમેજ પાળીએ છીએ ઈત્યાદિ ઉચ્છક ભાવને કદાપી કેવળીએ જાણ્યા હોય તે કેમ ના કહી શકાય. જો એમ હોય તેજ શ્રી ભગવતીજીના પચીશમાં શતકના સાતમા ઊદેશામાં પાંચ પ્રકારના ચારિત્રની વ્યાખ્યામાં પરિહાર વિશુદ્ધ ચારિત્રની ઊત્કૃષ્ટી ગતિ આઠમા દેવ લેક સુધીની જ કહી છે. એ ઉપરથી જિનકપીની ગતિ પણ આઠમા દેવલેક સુધીની કહેવામાં આવે છે તત્વ કેવળી ગય.
પ્રશ્ન ૩૩ મું–જિનકલ્પી અને પડિમાધારી સાધુમાં શું તફાવત?
ઉત્તર–જિનકલ્પી થવાવાળા છેદોષસ્થાપનીય ચારિત્રમાંથી પરિહાર વિશુદ્ધ ચાસ્ત્રિ અંગીકાર કરીને પછી જિનકલ્પી થાય તે પણ ઉપર કહેલા અધિકારવાળાજ થાય, અને પડિમાધારી તે ગમે ત્યારે પણ થઈ શકવા સંભવ છે. પડિમાધારી સાધુને કલ્પ સવિસ્તર દશાશ્રુતસ્કંધ સૂત્રમાં કહેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org