________________
૧૮૪
જ્ઞાનવાળા ગચ્છમાં જઈ દીક્ષા લીયે તે સ્થવિર કલ્પીના ગણાય અને કઈ પિતાની મેળે દિક્ષા લઈ જિન કલ્પીની પેઠે વિચરે તે તે પ્રમાણે પણ વિચરી શકે. મૃગાપુત્ર–અનાશી મુનિ-હરકેશીવતું.
પ્રશ્ન ૧૨ મું—પ્રત્યેક બોધ કથા તીર્થકરના વારે હોય?
ઉત્તર—ઘણું કરી પહેલા છેલ્લા તીર્થકરના વારે હેય એમ કેટલાકનું માનવું છે. પરંતુ નંદીજીમાં કહ્યું છે કે-જેટલા ચાર બુદ્ધિના ધણી હેય તેટલા પ્રત્યેક બુદ્ધિ હોય. એ ઉપરથી વીસ તીર્થકરના વારે હોય એમ પણ સંભવે છે.
પ્રશ્ન ૧૩ મું–બુદ્ધહી કોણ કહેવાય ?
ઉત્તર–કોઈને બેધ સાંભળીને બોધ પામે દીક્ષા લે તે બેધબેહી કહેવાય. તે વીશે તીર્થકરના વારે હોય.
પ્રશ્ન ૧૪ મું–પ્રથમ પાંચ પ્રકારના ક૯પ કહ્યા પણ આ પ્રકારના કલ્પ સાંભળ્યા છે તે કેમ?
ઉત્તર- છ પ્રકારના પણ કલ્પ કહ્યા છે ખરા.
પ્રશ્ન ૧૫ મું – છ પ્રકારના ક૫ કયા સૂત્રમાં કહ્યા છે અને તેનું સ્વરૂપ શી રીતે છે તે સવિસ્તર જણાવશે ?
ઉત્તર—સાંભળે, કા. ઠા. ૬ ફે-તથા વૃ૯૫ ૬ ઠ્ઠા અધ્યયનમાં છેવટે લખ્યું છે કે –
छविहा कप्पठिई पं. तं. सामाइय संयमकप्पठिई १ छेउवठावणिय संजय कप्पठिई २ णिव्यिसमाण कप्पठिई ३ निघिठ काइय कप्पठिई ४जिण कप्पठिई ५ थेर कप्पठिई ६ तिबेमि.
અર્થ–સાધુને સંયમીને છ પ્રકારે કલ્પ સ્થિતિ મર્યાદા કહી તે કહે છે, સામાયિક ચારિત્રની મર્યાદા વિધિ ૧ છેદો પસ્થાપનીય ચારિત્રની મર્યાદા વિધિ ૨. પરિહાર વિશુદ્ધ ચારિત્ર અંગીકાર કરે તિવારે તપ કરવાની મર્યાદા વિધિ ૩. તે તપ પૂરો કરી રહ્યા પછી કેટલા કાળ રહેવું તે મર્યાદા વિધિ ૪. જિનકપ સાધુની મર્યાદા છે. સ્થવિર કી સાધુની મર્યાદા દ.
પ્રશ્ન ૧૬ મું—સામાયિક ચારિત્રની કલ્પ સ્થિતિ કેવી રીતે હોય ?
ઉત્તર–સામાયિક ચારિત્ર વીશે તીર્થકરના શાસનમાં હોય. તેમાં એટલે તફાવત છે કે- વચલા બાવીશ તીર્થ કરના સાધુને સામાયિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org