________________
૧૭૬
તે સૂત્ર રચતાં સૂચવ્યા છે પરંતુ પ્રાકૃત ભાષામાં પ્રચલિત કરી ફેર રચ્યા હોય એમ જણાય છે. કેમકે પ્રાકૃત શબ્દો તેમાં વધારે જોવામાં આવે છે.
ઉત્તર–પૂર્વે પુષ્કળ દાખલાથી જણાવી ગયા છીએ કે હાલનાં વર્તતાં સૂત્ર અદ્ધમાગધી ભાષામાં છે ને તેમાં છએ ભાષાને સમાવેશ થએલે છે તે પણ જણાવવામાં આવી ગયું છે. દેવદ્ધિ ક્ષમા શ્રમણ પૂર્વજ્ઞાની હતા અને તે બહુજ ડાહ્યા અને વિદ્વાન હતા, તેઓ સારી રીતે જાણતા હતા કે સિદ્ધસેન દિવાકર જેવા મહા વિદ્વાનને માત્ર પાંચ પદ નેકારનાં સંસ્કૃતમાં કરવાથી તથા સૂત્રને સંસ્કૃતમાં રચવાના અભિપ્રાયથી મે ટું જોખમ ખેડવું પડ્યું હતું અને પારાંચિત પ્રાયશ્ચિતને સ્વીકાર પોતે જાતે જ કર્યો હતે. તે પછી દેવદ્ધિ ક્ષમા શ્રમણ જેવા મહાન પુરૂષ એવી કેમ ભૂલ ખાય કે તે પ્રાકૃતમાં સૂત્ર રચે? અર્થાત્ નજ રચે. સૂત્રમાં તે સંસ્કૃત, પ્રાકૃત, માગધી ભાષા વગેરે તમામ ભાષા છે પરંતુ કેઈ કઈ ઠેકાણે પ્રાકૃત ભાષાની ઝળકી જોવામાં આવે તેથી બધા સૂત્ર પ્રાકૃતમાં છે એમ કેમ કહેવાય? નજ કહેવાય. બહળતા એ માગધી ભાષા વધારે પ્રત્યક્ષ જોવામાં આવે છે જેથી ઘણા વિદ્વાને જૈનના શાસ્ત્ર માગધી ભાષામાં છે એમ પણ કહે છે.
પ્રશ્ન ૯૪ મું –જૈનના શાસ્ત્ર માગધી ભાષામાં છે એવું કેણ માને છે? તે પણ જાણીએ તે ખરા.
ઉત્તર–સાંભળે-જૈનના શાસ્ત્ર માગધી ભાષામાં છે એમ શ્રીમદ્ રાયચંદ્ર ગ્રંથમાં કહ્યું છે, તથા “સનાતન જૈન” (માસિક) પુસ્તક ૧લું અંક ૭મે-માર્ચ ૧૯૦૬ પૃષ્ટ રજે-કહ્યું છે કે –
કેન્ફરન્સમાં માગધીની સજીવનતા” એ નામના લેખમાં લખ્યું છે કે-) આપણા પરમ પવિત્ર સિદ્ધાંત મૂળ માગધી ભાષામાં લખાએલા છે, ત્યારબાદ તેના ઉપર સંસ્કૃત ગ્રંથ અને ટીકાઓ થયાં છે; તથાપિ આપણા મૂળ સિદ્ધાંત તે માગધી ભાષામાં જ છે.વળી પાને ૧૦મેં પણ કહ્યું છે કે આપણા પરમોપકારી આગમની મૂળ ભાષા “માગધી” કહેવાય છે, જો કે કેટલાક વિદ્વાને તેને અદ્ધિમાગધી કે પ્રાકૃત પણ કહે છે. '
પ્રશ્ન ૯૫ મું–સૂત્રની ભાષા જ્યારે અદ્ધમાગધી છે તે માગધી અને પ્રાકૃત ભાષા જુદી પડવી જોઈએ. તે સૂત્રની ભાષાથી માગધી અને પ્રાકૃત ભાષા જુદી છે. એમ સૂત્રથી નિર્ણય થાય તેમ છે ?
ઉત્તર–સૂત્રની ભાષા અદ્ધમાગધી છે એટલે છ ભાષામાં પાંચ ભાષાને મળીને અર્ધો ભાગ અને અર્ધો ભાગ માગધી ભાષાને મળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org