________________
૧૭૦
ઉત્તર–ઉત્તરાધ્યયનના ૨૮ માં અધ્યનની ગાથા ૨૩ મીમાં કહ્યું
છે કે-ગાથા
सो होइ अभिगमरूइ, सुयनाण जेण अत्थओ दिठं; इकारसमंगाई, पइन्नगं दिठिवाउय ॥ २३ ॥ અર્થ -જેણે દ્વાદશાંગી પ્રમુખ સૂત્ર જ્ઞાન, ભગવંતનાં ભાષેલાં અર્થ થકી દીઠો છે, તેને સમકિતની પ્રાપ્તિની દશ રૂચિ મહેલી અભિગમ રૂચિ કહેવી.
અથાત્ ભગવંતનાં પ્રરૂપેલા અર્થ યુક્ત સૂત્ર ભણવાની રૂચિવાળાને સમકિતની પ્રાપ્તિ થાય છે, માટે ભગવંતે તથા ગણધર મહારાજે ઉત્તરાધ્યયન સૂત્રનાં અધ્યયન ૧ લે-ગાથા ૮ મીમાં કહ્યું છે કે___अठजुत्ताणि सिखिज्जा, निरठाणि उवज्जए;
અર્થ યુક્ત સૂત્ર શિખવાં એટલે જેને વિષે ભગવંતના પ્રરૂપેલા અર્થ રહ્યા છે એવા સૂત્ર (દ્વાદશાંગી પ્રમુખ) શીખવાં. અને તે સિવાયના નિરર્થક ભગવંતના ભાખ્યા અર્થ વિનાના (વ્યાકરણદિ) તમામ વર્જવાં. (ઈતિ)
એટલા ન્યાયે આચારગાદિ તમામ સૂત્ર શ્રી તીર્થકર મહારાજે અદ્ધ માગધી ભાષાએ અર્થરૂપે પ્રરૂપેલા અને ગણધર મહારાજે તેજ ભાષામાં તેજ અર્થને ગેવિને ગુંથેલા તેજ સૂત્ર પિતાના શિષ્યને વાંચણી રૂપે આપેલાં તેજ સૂત્ર પરંપરા ચાલ્યા આવતા ભગવંતના સત્યાવિસમી પાટે પૂર્વધારી એવા દેવદ્ધિ ક્ષમા શમણે લખાણમાં લીધેલાં, તેજ લખાયેલાં સુત્ર અદ્યાપિ વર્તે છે. માટે આ સૂત્ર અર્થ યુક્ત અદ્ધ માગધી ભાષામાં છે એમ માને.
પ્રશ્ન ૮૦ મું–પૂર્વપક્ષી–ઉપરના ન્યાયથી એમ તે સમજાય છે કે સૂત્રની અંદર તીર્થકર મહારાજના પ્રરૂપેલા અર્થને સમાવેશ છે. પરંતુ ગણધર મહારાજે સૂત્ર શું થ્યા તે અદ્ધમાગધી ભાષાએજ ગુંચ્યા છે એ શું દાખલું છે ?
ઉત્તર– અહીં દેવાનાં પ્રિય ! દાખલા તે પૂર્વે આખા તેજ, તે દાખલા જો તમે માન્ય કરતા હે, તે એ સવાલ કરવા જેવું કાઈ પણ રહ્યું નથી; કેમકે જ્યારે તીર્થકરના પ્રરૂપેલા અર્થ તેજ ગણધરે સૂત્રમાં ગુંથ્યા છે, અને તેજ અર્થ અદ્ધમાગધી ભાષામાં છે, માટે સૂત્ર પણ અદ્ધિમાગધી ભાષામાંજ છે, એમ તે તમારે નિર્વિવાદે કબુલ કરવું પડશે. પરંતુ તે વિષે વધારે જાણવાની ઈચ્છાએ એ સવાલ મૂતા હો તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org