________________
૧૬૪
ઉત્તર–ઠાણાંગજી સૂત્રના ઠાણે ૨ જે-ઉદેશે ૧ લે-બે પ્રકારના કૃત ધર્મ કહે છે તે એ કેसुयधम्मे दुविहे पन्नत्ते तं जहा सुत्तमुयधम्मे चेव, अत्थसुयधम्मे चेव.
અર્થ—કૃત ધર્મ બે પ્રકારે કહ્યા તે કહે છે. સુ. જેમાં અર્થ ગુંચ્યા છે ગણધરે, તે સૂત્રને શ્રત ધર્મ કહીએ એટલે સૂત્ર પાઠ, ગદ્યપદ્યમાં જે ગુંથેલા છે તે. . અર્થ શ્રત ધર્મ તે જે ભગવતે અર્થ ભાવે તે અર્થ શ્રત ધર્મ. અર્શ મા ગરા, સુરયંતિ નિકા – વળી અનુગદ્વારમાં પણ તેજ પ્રમાણે જણાવે છે.
પ્રશ્ન પ૮ મું—અનુગારજી સૂત્રમાં શું કહ્યું છે તે પણ જણાવશો ?
ઉત્તર–અનુગારજી સૂત્ર બાબુવાળા છાપેલ પાને બીજે કહ્યું છે કે–અર્થ થકી શ્રી તીર્થકરે-સૂત્ર થકી શ્રી ગણધરેઝરૂખે એણે વચને સુત્ર કર્તાએ આપણા મનની ઈચ્છા પરિહરી, “આપણા મનની ઈચ્છા” કહેતાં શ્રી અરિહંતાદિકને આશાતના થાય. (ઇનિ.)
વિચાર કરે કે ભગવતે અદ્ધમાગધીમાં કહેલ તે ગણધર પ્રાકૃતમાં કેમ કહે ? વળી ગણધર ચાર વેદના પારગામી હતા છતાં સંસ્કૃતમાં સૂત્ર રચ્યા નહિ તેનું શું કારણ? અને સંસ્કૃતમાં સૂત્ર રચવા સિદ્ધસેને આગ્રહ કરવાથી તેને ગ૭ બહાર મૂકવા માટે તેનું પણ કાંઈક વિશેષ કારણ હેવું જોઈએ. એ ઉપરથી એમ ખુલ્લું જણાય છે કે સંસ્કૃત તથા પ્રાકૃતાદિ ભાષામાં સૂત્ર રચતા ભગવંતની પ્રરૂપેલી આર્ય અદ્ધમાગધી ભાષાને કાંઈક ! અપમાન લાગવા જેવું હોવું જોઈએ. આ વિષે આત્મારામજીએ પણ સારું લખાણ કર્યું છે.
પ્રશ્ન પ૯ મું–આત્મારામજી મહારાજ શું જણાવે છે ?
ઉત્તર—એ વિષે પિતામ્બરી આત્મારામજી કૃત જૈન તત્વદર્શ” ભાગ –એ નામના ગ્રંથમાં “બાર પરિચ્છેદ” તેના પાને ફરમે
એક વખત સિદ્ધસેનજીએ સર્વ સંઘને એકઠો કરી કહ્યું કે, સર્વ આગમને સંસ્કૃત ભાષામાં રચી દેવાની મને અભિલાષા ઉત્પન્ન થઈ છે. શ્રી સંઘે ઉત્તર આપ્યો કે શું તીર્થકર અને ગણધર સંસ્કૃત ભાષા જાણતા નહોતા ? તેઓએ તે અદ્ધમાગધી ભાષામાં આગમ રચ્યાં છે. વળી તમા આવી રીતની અભિલાષા રાખે છે તેથી આપને પારચિક નામનું પ્રાયશ્ચિત લાગે છે. આપ પિતિ શાસ્ત્રોકત રીતિ અનુસાર વિચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org