________________
૧૬૩
અલંકાર પણ ગોઠવ્યા, એટલે ભગવંતના પ્રરૂપેલા અર્થ ગઠવતાં તેની સંધિ મેળવવા ગણધર મહારાજે પણ કેટલીક પૂર્ણ કરી હોય તે પણ સૂત્રજ કહેવાય, જેવી ભાષા ભગવંત બેલે તેવીજ ભાષા ગણધર મહારાજ બોલવા સમર્થ છે, એમ ઠાણાંગ સૂત્ર તથા ઉગવાઈ સૂત્ર જણાવે છે.
પ્રશ્ન પ૫ મું–ઠાણાંગ તથા ઉવવાઈ સૂત્રમાં શું કહ્યું છે?
ઉત્તર–સાંભળ-ઠાણાંગ સૂત્ર તથા ઉવવાઈ સૂત્રમાં નીચે પ્રમાણે કહ્યું છે કે –
दुवालसंऽगिणो समत्त गणिपिंडगधरा सव्वऽक्खर संणिवाइणा,सव्वभासाऽणुगामिणो, अजिणाजिणसंकासा,जिणा इव अवितहं वागरेमाणा -
અહિંયાં-ગણધર દેવને માટે કહ્યું છે કે-બાર અંગના જાણનાર, સમસ્ત આચાર્યને સિદ્ધાંતરૂપ પટારે તેહના ધરણહાર, સર્વ અક્ષરના મેલણહાર-એકઠા કરીને ઉચરવા સમર્થ, સર્વ ભાષા આર્ય અનાર્ય દેવતા દેવીને તથા સંસ્કૃત પ્રાકૃતાદિ ભાષાના પારગામી, રાગ દ્વેષ જીત્યા નથી પણ જીત્યા એવા જિન વીતરાગ સરિખા છે, જિન વીતરાગની પરે યથા તત્ય બોલનારા. અર્થાત્ ઉત્તર પ્રત્યુત્તર કરનારા તથા યથા તથ્ય ભાષાના બેલનારા એવા ગણધર મહારાજને કહ્યા છે.
એ ઉપરથી સિદ્ધ થાય છે કે ગણધર મહારાજે જે જે સૂવ ગુંચ્યા છે તે તીર્થકર મહારાજની પ્રરૂપેલી અદ્ધમાગધી ભાષાએ અર્થરૂપે તેજ તે સૂવ છે. ફુલ અને ફુલના હારના ન્યાયવત્ –આ વિષે પંડિત લાલન પણ સારે અભિપ્રાય આપે છે.
પ્રશ્ન પદ મું—પંડિત લાલન આ વિષે શું જણાવે છે ?
ઉત્તર-સાંભળે-“જૈન માર્ગ પ્રવેશિકા.” જૈન ધર્મ પ્રશ્નોત્તરચેજક લાલન-વીરત્ ૨૪૩૧-સને ૧૯૦૫ માં–મુંબાઈ છપાયું છે. તેના પાને ર જે-પાઠ ક–પ્રમાણ ગ્રંથ-ભાગ ૧ લે-તેમાં સવાલ-૭ મેલખે છે કે-જૈન ધર્મનું મૂળ શું છે? તેના જવાબમાં લખે છે કે–જૈન ધર્મનું મૂળ તેના સૂત્ર છે, તેમાં રહેલી બીન જિન ભગવાન શ્રી મહાવીર સ્વામીએ કહી બતાવી, તે સાંભળીને તેમના શિષ્ય શ્રી સુધર્મ સ્વામીએ સત્રોમાં ગોઠવી. (એમ લાલનનું કહેવું છે.) અને ઠાણાંગજી પણ સૂત્રના બે ભેદ કહે છે.
પ્રશ્ન પ૭ મું–ઠાગાંગજી સૂત્રના બે ભેદ કેવી રીતે જણાવ્યા છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org