________________
૧પ૯
ને પ્રશ્નવ્યાકરણસૂત્રમાં બાર પ્રકારની ભાષા પણ કહી છે. તે તમામ ભાષાનું સ્વરૂપ જાણવું જોઈએ.
તેમાં સંસ્કૃત ભાષાના ત્રણ પ્રકાર કહ્યા. સંસ્કૃત, સમસંસ્કૃત ને મહાસંસ્કૃત.
પ્રાકૃતના બે ભેદ, પ્રકૃતિ ને અતિપ્રકૃત. માગધીના પણ બે ભેદ, માગધી અને અદ્ધમાગધી. એટલી ભાષાનું સ્વરૂપ અવશ્ય જાણવું જોઈએ. પ્રશ્ન ૪૫ મું-શિષ્ય-સંસ્કૃતના ત્રણ પ્રકાર શી રીતે સમજવા ?
ઉત્તર–સાંભળ–સંસ્કૃત ભાષાના ભાગવતાદિ ૧૮ પુરાણુ, કાવ્ય, કેષ વગેરે ઘણું શાસ્ત્ર સંસ્કૃતમાં છે. કે જેની ટીકા વિના સમજવું મુશ્કેલ પડે છે–સમસંસ્કૃત તે સંસ્કૃતમાં પ્રાકૃત ભળવાથી સરલપણે સમજાય તેવા ગદ્ય પદ્ય અને મહાસંસ્કૃત તે વેદનું સંસ્કૃત કહેલ છે તે સમજવું ઘણું જ કઠીન હોય છે.
પ્રશ્ન ૪૬ મું–પ્રાકૃત ભાષાના બે ભેદ શી રીતે છે ?
ઉત્તર–પ્રાકૃત ભાષા તેના બે પ્રકાર છે. જૈન સૂત્ર વિના એટલે તીર્થંકરના ભાખેલા અર્થને સમાવેશ વિના તેવીજ ભાષામાં કેઇ આચાર્ય ગદ્યપદ્યમાં બનાવેલા ગ્રંથ તેને પ્રાકૃત ભાષા માને છે.અતિ પ્રાકૃત તે ચાલુ દેશ ભાષા–જેવી કે હિંદુસ્તાની, ગુજરાતી, મરાઠી વગેરે કહી છે, અને કેટલાક શુદ્ધ ગુજરાતી ભાષાને પણ પ્રાકૃત ભાષા કહે છે.
અન્યમતનાં શાસ્ત્ર જે યાજ્ઞવશ્ય સ્મૃતિ મિતાક્ષરા ટીકામાં જે લેક છે તે સંસ્કૃત મૂળ લખેલ છે, અને નીચે અર્થ છે તે પ્રાકૃત મૂળ લખેલ છે.
ધર્મસિંધુ ગુજરાતી ભાષાંતરની પ્રસ્તાવના પાને ૧-૩-જે ગુજરાતી ભાષાંતરને પ્રાકૃત કહેલ છે. (ગ્રંથનું નામ દરેક પાને મથાળે ધર્મસિંધુ પ્રાકૃત ભાષાંતર સહિત) એ પ્રમાણે કહેલ છે.
મહાભારત ( અઢારે પર્વ) ગુજરાતી ભાષામાં રચેલું છે તેમાં આદિપર્વમાં ગાથા પ મીથી નીચે પ્રમાણે લખેલ છે.
મહાભારત ઉપરથી લઈ, સારસાર નિરાધાર; પ્રાકૃત ભાષામાંહી રચું છું, પધથકી વિસ્તાર. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org