________________
૧૫૬
પ્રશ્ન ૪૦ મું–આ વિષે નંદીજી સૂત્ર શું જણાવે છે ? ઉત્તર–સાંભળે–નંદીજી સૂત્રને સૂત્ર પાઠઃ
से किंतं सम्मसुयं सम्मसुयं जं इमं अरिहंतेहिं भगवंतेहिं उप्पणणाणदंसणधरेहि-जाव सव्वणूहि सव्वदरसीहिं पणियंदुवालस्संगं गणीपिंडगं तं जहा आयारो सुयगमो ठाणं जाव दिठिवाउय.-इच्चेएयं दुवालस्संगं गणिपिंडगं तं जहा आयारो सुयगडो ठाणंजाव दिठिवाउयंइच्चेइयं दुवालसंग्गं गणीपिडगं तिएकाले अणंता जीवा आणाए विराहित्ता चाउरंत संसारकंतारं अणुपरयिहिसु ३ ( इम त्रण काल )-इच्चेइयं दुवालस्संगं गणिपिंडगं तीएकाले अणंता जीवा आणाए आराहित्ता चाउरंत संसारकंतारं विइवइसु. ३
(એમ ત્રણે આલાવા કહેવા) ઇતિ નદી સૂત્ર.
અર્થ–બુ અણગાર સુધર્મ ગણધર પ્રત્યે કહે! હવે કિશું તે સમ્યક્ શ્રત ? ગુરૂ બેલ્યા–સમ્યફ શ્રુત તે જે, એ, અરિહંત ભગવંત જેને ઉપર્યું છે કેવળ જ્ઞાન, કેવળ દર્શનના ધારણહાર, યાવત્ સર્વ પદાર્થના જાણ, સર્વ પદાર્થના દેખણહાર એવે તીર્થકરે પ્રરૂપે, બાર અંગ આચાર્યને પેટી સમાન, તે, એ, આચારાંગ, સૂયંગડાંગ, ઠાણાંગ, યાવત્ દષ્ટિવાદ, એ બાર અંગ તે આચાર્યની પેટી સરખા–તેને અતીત કાળે અનંતા જીવ આજ્ઞાવિરાધીને ચતુર્ગતિ સંસાર અટવી પ્રત્યે પરિભ્રમણ કરતા હવા. એમ વર્તમાનકાળે સંખ્યાતા જીવ આજ્ઞા મંડી વિરાધક પદ પામી, ચાર ગતિ સંસાર રૂપ અટવીમાં પરિભ્રમણ કરે છે, તેમજ આવતે કાળે અનંતા જીવ પરિ– ભ્રમણ કરશે. અને એ બારે અંગ આરાધી ગયા કાળે અનંતા જીવ ચતુતિ સંસારને પાર પામ્યા-વર્તમાન કાળે સંખ્યાના જીવ આજ્ઞા આરાધી ચતુર્ગતિ સંસાર અટવી ઊલ્લઘે છે-એમ આગામી કાળે અનંતા જીવ દ્વાદશાંગી રૂપ જનાજ્ઞા આરાધી ચારે ગતિ સંસાર રૂપ અટવી પ્રત્યે ઉલ્લંઘશે એમ નદીજી સૂત્રમાં કહ્યું છે.
પ્રશ્ન ૪૧ મું–ઉવવાઈ સૂત્રમાં શું કહ્યું છે ?
ઉત્તર–શ્રી નંદીજી સૂત્રમાં શ્રી તીર્થકર મહારાજની પ્રરૂપેલી વાણી જે દ્વાદશાંગી રૂપ તે કઈ ભાષામાં છે તેને ખુલાસો શ્રી ઉવવઈ સૂત્રમાં જણાવ્યો છે કે-સૂત્ર પાઠ:–
सव्वक्खर संणिवाईयाए पुण रत्ताए सव्व भासाणुगामिणीए सरस्सईए जोयण णीहारिणा सरिणं अद्धमाराहाए भासाए भासंति अरिहा धम्मपरिकहेइ तेसिं सव्वेसि आयरियं मणायरियाणं अगिलाए धम्म माइक्खइ सा वियणं अद्ध
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org