________________
૧૫ર
પ્રશ્ન ૨૬ મું–પૂર્વપક્ષી–ત્યારે બે ભાષા પ્રશસ્ત કેમ કહી ?
ઉત્તર–તે બે ભાષા લૌકિક પક્ષે મધુરી હેવાને લીધે એટલે પ્રગટ પણે સમજાવેથી દુનિયાએ ભલી માની, માટે ભગવંતે પ્રશસ્ત કહી. (એટલે ભલી કહી.) જેમ ઠાણાંગઠાણે જ થે–ગશાળાને ચાર પ્રકારને તપ પ્રશસ્ત કહ્યો છે, તેમ સંસ્કૃત ને પ્રાકૃત બને ભાષા પ્રશસ્ત જાણવી. તેથી સૂત્રની ભાષા પ્રાકૃત છે એમ સિદ્ધ થાતું નથી. સૂત્રની ભાષા અને અન્ય ભાષાને પરંતરે તે શાસ્ત્રથીજ જણાઈ આવે છે.
પ્રશ્ન ૨૭ મું–પ્રાકૃત ભાષા સૂત્રની નથી-એટલે સૂત્ર પ્રાકૃત ભાષામાં નથી એમ સૂત્રથી સાબીત કેવી રીતે થાય છે?
ઉત્તર–સૂત્રની ભાષા તે આત્માને હિતકારી કલ્યાણકારી સૂત્રમાં કહી છે તેમ પ્રાકૃતાદિ ભાષા કહી નથી.?
પ્રશ્ન ર૮ મું –એ કેઈ દખલે છે કે-સૂત્ર સિવાય પ્રાકૃતાદિ ભાષા હિતકારી નથી.
ઉત્તર—સાંભળો-આબુવાળા છાપેલ ઉત્તરાધ્યયન અધ્યયન દ ગાથા ૧૧ મીના પહેલા પદમાં કહ્યું છે કે –
નવતા તાવણ માસા, તેના માટે પાને રર૧મે ટીકામાં કહે છે કે
प्राकृत संस्कृताधापद् भाषा अथवा अन्याअपि देश विशेषात् नाना रूपा भाषा वा पापेभ्यो दुःखेभ्यो न त्रायन्तें न रक्षन्ते
પ્રાકૃત સંસ્કૃત આદિ ષડ ભાષા અથવા બીજી પણ અનેક પ્રકારની દેશ ભાષા તે આ જીવને પાપ થકી-દુઃખ થકી મૂકાવા-રક્ષણ કરવા સમર્થ નથી, એમ કહ્યું છે. અને સૂત્રની ભાષા બોલતાં ઘણાં કર્મની નિર્જરા થાય છે એમ સૂત્રમાં કહેલ છે. માટે પ્રાકૃત ભાષાથી (એટલે એ ભાષાથી ) સૂત્રની ભાષા બીજી ઠરે છે.
પ્રશ્ન ર૯ મું–સૂત્રની ભાષા કઈ છે ? અને તે ભાષાથી એટલે સૂત્રની ભાષાથી કેવા પ્રકારને લાભ થાય છે ? તે પણ જણાવશો ?
ઉત્તર–સાંભળ-ભગવતીજી સૂત્રના બીજા શતકના પાંચમે ઉદ્દેશે કહ્યું છે કે—“વળે નાણે જ વિના,'' ઇત્યાદિ–એટલે સિદ્ધાંત વચનનું શ્રવણ કરવાથી અર્થાત્ સિદ્ધાંત વચન સાંભળવાથી જ્ઞાનાદિ દશ બેલની પ્રાપ્તિ થાય છે. અને છેવટે મેક્ષ ફળની પ્રાપ્તિ પણ કહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org