________________
૧૪૯
પ્રરૂપણ કરી છે, એમ સૂત્ર પાઠ સાબીત કરી આપે છે. એમ અદ્ધ માગધી ભાષા સિવાય બીજી ભાષામાં જૈનનાં સૂત્ર નથી. એમ કલ્પ પણ કબુલ કર્યા વિના ચાલશે નહિ.
પ્રશ્ન ૧૬ મું–કદાપિ કઈ જૈન સૂત્ર પ્રાકૃત ભાષામાં માને તેમાં શે વધે છે. ?
ઉત્તર–પ્રાકૃત ભાષામાં જૈન સૂત્ર માનીએ તે તેમાં અનેક દેષ ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન ૧૭ મું–પ્રાકૃત ભાષામાં સૂત્ર માનવાથી વળી દોષ ઉત્પન્ન થાય તેવું શું કારણ છે ?
ઉત્તર–સાંભળ-પ્રાકૃત ભાષામાં જન સૂત્ર દ્વાદશાંગી પ્રમુખ માનવાથી નીચેના દોષે ઉત્પન્ન થાય છે.
(૧) એક તે એ કે પ્રાકૃત ભાષા દેશી ભાષા છે. (અને જૈન શાસ્ત્ર-જૈન સૂત્ર દેશી ભાષામાં નથી પણ સર્વ ભાષામાં છે.)
(૨) પ્રાકૃત ભાષાના બેલવાવાળા મૂર્ખ લેક અને સ્ત્રી વર્ગ કહેલ છે. ( જન સૂત્રના પ્રકાશક મહાવિદ્વાન ગણધરાદિ આચાર્ય પ્રમુખ છે.)
(૩) પ્રાકૃત ભાષા અનાદિ સિદ્ધ છે. (આપણાં જૈનસૂત્ર તીર્થકર મહારાજ તથા ગણધર દેવથીજ પ્રગટ થાય છે અને તીર્થકર મહારાજ અર્ધમાગધી ભાષાએજ પ્રરૂપણ કરે છે, તે વાત સૂત્રચી સિદ્ધ છે.)
માટે જૈન ધર્મનાં સૂત્ર પ્રાકૃત ભાષામાં નથી એમ ઉપરનાં કેટલાક લેખેથી સાબીતી આવી મળે છે.
પ્રશ્ન ૧૮ –સંસ્કૃત-પ્રાકૃત-અને માગધી આ ત્રણ ભાષામાં પહેલી ભાષા કઈ હશે ?
ઉત્તર –કઈ કઈ વિદ્વાન સંસ્કૃત ભાષાને પહેલી કહે છે એટલે મૂળ ભાષા સંસ્કૃત માને છે. તેમ કઈ વિદ્વાન પ્રાકૃત ભાષા તેજ મૂળ ભાષા કહે; તેમજ માગધી ભાષાને પણ કેટલાક વિદ્વાને મૂળ ભાષા
પ્રશ્ન ૧૯ મું_કઈ સંસ્કૃત ભાષાને યા કોઈ પ્રાકૃત ભાષાને પહેલી કહેનારાનું તે વાંચવામાં આવ્યું છે પરંતુ માગધી ભાષાને પહેલી ભાષા . માનનારો કર્યો વર્ગ છે તે પણ જણાવશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org