________________
૧૩૮
સૂત્રની સક્ઝાય કરવાથી સર્વ દુઃખથી મુક્ત થાય છે એમ સૂત્રમાં કહ્યું છે. તે સઝાય કરવામાં કિંમતી અને આર્ય કલ્યાણકારી કઈ કહેશે ?
પ્રશ્ન ૧૩ મું–જે ભાષા પાપ થકી દુઃખ થકી રક્ષણ કરે નહિ તેવી ભાષાનાં શાસ્ત્રમાં આત્મભેગ આપે અને રાત ને દિવસે તેવાંજ શાસ્ત્રનાં અભ્યાસમાં વળગ્યું રહેવું તે જિન આજ્ઞામાં કે જિનારા બહાર ?
પ્રશ્ન ૧૪ મું—ઉપગ સહિત ચારે ભાષા બોલતાં આરાધક કહ્યો તે ઉપયોગ કર્યો? વ્યાકરણનું જ્ઞાન મેળવી વિભક્તિ સહિત શબ્દ કેષનું જ્ઞાન મેળવી લે તે કે–સમ્યક જ્ઞાન સહિત બોલવું તે કે-સંયમ સહિત બોલવું તે? એ ઠેકાણે ઉપગ ને કહો છે ?
પ્રશ્ન ૧૫ મું-અસંજતી, અવિરતી ને અપચ્ચખાણીને ચારે ભાષા બેલતાં વિરાધક કહ્યો તે અન્ય તીર્થના અસંજતી લેવા કે ચેથા ગુણઠાણના પણ અસંજતી લેવા ?
પ્રશ્ન ૧૬ મું ચેથા ગુણસ્થાનવાળા અસંજતી, અવિરતી ને અપચ્ચખાણ કહ્યા છે તે સમ્યક જ્ઞાન દર્શનના ઉપયોગ સહિત ચારે ભાષાનું સ્વરૂપ બેલે તે આરાધક કે વિરાધક ?
પ્રશ્ન ૧૭ મું–પ્રથમ ગુણસ્થાનવાળા અસંજતી, અવિરતી, અપચખાણ કદી સત્ય ભાષા બેલે તે આરાધક કે વિરાધક કહે? કદાપિ કઈ આરાધક કહે છે તે કયા પાઠથી ? અને વિરાધક કહેવાય તે વ્યાકરણાદિ ભણેલા વિભક્તિ આદિ સહીત શબ્દ શુદ્ધિથી બેલનારાની ભાષા નિરર્થક કહી શકાય કે કેમ ?
પ્રશ્ન ૧૮ મું–સૂત્રોમાં કહેલા વ્યાકરણને લગતા જે જે શબ્દો કહ્યા છે. તે તે શબ્દો જૈન સૂત્રને લગતા છે કે બ્રાહ્મણીયા શાસ્ત્રને લગતા છે ? જે જૈન સૂત્રને લગતા છે, તે સૂત્ર પ્રમાણે તેવાં શાસ્ત્રો અસલનાં કેમ જેવામાં આવતાં નથી ? અને બ્રાહ્મણીયા વ્યાકરણદિ શાસ્ત્રોને અભ્યાસ કરવાની આજ્ઞા ભગવંતે કયા સૂત્રમાં ફરમાવી છે?
પ્રશ્ન ૧૯ મું—વિયાકરણીય તરફથી પ્રથમ જે લેક કહેવામાં આવ્યું છે તે કયા સૂત્રને છે ? તે જનના સાધુને કેવી રીતે લાગુ થાય? આઠ પ્રવચન માતાના આરાધકને મેક્ષ ગતી કહી છે, તે તેને એ લેકમાં કહેલા જ્ઞાનને–અભ્યાસને અભાવ હોવા છતાં તેને મેક્ષાદિ ફળની પ્રાપ્તિ કેમ કહી ?
પ્રશ્ન ૨૦મું-કેઇ એમ કહે કે-વ્યાકરણાદિ સમાસ, તદ્ધિત, ધાતુ, નિરૂક્તિ, વગેરે ભણવાથી શબ્દ શુદ્ધિ થાય છે ને તેથી ભાષા શુદ્ધિ, ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org