________________
૧૧૬
તે બ્રાહ્મણીયા જ્ઞાનમાંજ આપે તેવાઓને જૈન સિદ્ધાંતનું જ્ઞાન બીલકુલ નજ હોય તેનું પરિણામ કેવું આવે તે વિચાર કરવાથી જણાઈ આવશે.
દાખલા તરીકે આઠ કે દશ વર્ષની ઉમરની શરૂઆતથી અંગ્રેજી જ્ઞાનના અભ્યાસકને પૂરતી વય થવા સુધી તે જ્ઞાન સિવાય બીજું કઈ પણ જ્ઞાન જાણ્યું તેથી. એવા કહેવાતા સુધરેલાને સરકારી કેળવણીના ભણતરનું જે જ્ઞાન કે –“પૃથ્વી દડા જેવી ગોળ છે, તે ફરે છે, સૂર્ય ફરતે નથી. સ્થિર છે. ઇશ્વર જગતને કર્તા છે.”—વગેરે જે જે જ્ઞાનની ચેટ થઈ છે, તે એવાઓ પાછળથી જૈનશાસ્ત્રનાં વાક્ય સાંભળી અરણ્યવાસી પેઠે ચમકે છે. અર્થાત્ ભડકે છે. તેનું મૂળ કારણ એજ છે કે–તેણે જ્યારે પ્રથમ જૈનશાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું નથી જૈનસિદ્ધાંતથી તદન અજાણ હોવાથી તે વાત તેને નવીન જેવી લાગવાથી તે વાત તેને શ્રદ્ધામાં નહિ આવતાં ઉલટી હાંસી કરવાનો વખત આવે છે અને તમામ શાસ્ત્રને ઉડાવે છે. પિતાને કક્કો ખરે કરવા નજરે દેખીએ તેજ ખરૂં ઈત્યાદિક વાત કરી તથા કલ્પિત ગેળા બતાવી પિતાની માન્યતા ખરી કરવા, અને શાસ્ત્રમાં કહેલ બીના તમામ ખોટી ઠરાવા પ્રત્યક્ષ દાખલા આપી, જુઓ તમારૂં મહાવિદેહ તે અમેરીકા, તમારું ભરતક્ષેત્ર તે હિંદુસ્તાન તમારે ચુલહેમવંત પર્વત તે હિમાલય, તમારો વૈતાઢ્ય તે વિંધ્યાચળ, અને હિમાલયમાંથી નીકળતી ગંગા અને કરાંચી પાસે રહેલી સિંધુ નદી, તે તમારી ગંગા ને સિંધુ. દેવતાઓ તે ગેર અને દેવાંગના તે મઢ, જુગલીયા તે ટાપુમાં રહેનારા મનુષ્ય અને કલ્પવૃક્ષ તે ટાપુના મનુષ્યને ખાવાના ફળદ્રુમ વગેરે શાસ્ત્રોમાં રહેલા પદાર્થોને અત્યારે પિતાની નજરે આવતા પતે કપેલા પદાર્થોને મેળવી તે વાત સાબીત કરવા મંથન કરતા જોઈએ છીએ અને તેનાં ગણિત પ્રમાણ શાસ્ત્ર સાથે નહિ મળતાં હોવાથી શાસ્ત્રને ખોટા ઠરાવવામાં આંચકો ખાતા નથી. તેમજ પર્વ ભવને નહિ માનનાર, સ્વર્ગ નર્ક બધું અહિંયાજ છે વગેરે નાસ્તિક પણાની શ્રદ્ધાને લઈને અનેક પ્રકારની કલ્પિત વાત-બનાવટી સ્થલ બેસતા કરી શ્વેતાની મતિકલ્પનાએ માત્ર પોતાના મગજ ઉપર ધારે રાખી મરજી મુજબ બોલ્યા કરે, તેનું મૂળ કારણ બીજું નહિ પણ એજ કે જેણે પોતાના શાસ્ત્રનું જ્ઞાન પ્રથમથી જ નથી મેળવેલું તેને પાછળથી પોતાના ધર્મસંબંધી શાસ્ત્ર જ્ઞાનની ચેટ કયાંથી થાય ?
તેમજ પિતાને પરમાત્માના ભાખેલા સિદ્ધાંતથી અજ્ઞાતુ રહેલાને જ્યારે બ્રાહ્મણીયા વ્યાકરણાદિ શાસ્ત્રના બીજ રોપી રાત ને દિવસે તેવાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org