________________
૧૧૦
ઉત્તર-દિગંબર મતના બ્રહ્મ વિલાસમાં કહ્યું છે કે –
સવૈયા એકતીસા જપે ચારો વેદ પહે, રચી પચી રિઝ રીઝ, પંડિતકી કલામે પ્રવન તું કહા હૈ, ધરમ હાર ગ્રંથ તાડૂકે અનેક ભેદ, તાકે પઢે નિપુન પ્રસિદ્ધ તેહિ ગાયે હૈ, આત્મ કે તત્વ તાકે મર્મકહું ન રંચ પાયે, તેલે હી ગ્રંથનમેં એસે કે બનાયે હૈ, જેસે રસ વિજનમેં કુછી ફરે સદૈવ,
મુંદ્રતા સ્વભાવ ન સ્વાદ કચ્છ પાયે હૈ. ૧ વિચારો કે પંડિતપણું અને મોક્ષ મળવાનું સાધન તે વિરત ભાવ, વૈરાગ્ય દશા અને આત્મજ્ઞાનમાં જ રહ્યું છે. તેમાં વ્યાકરણાદિ લૌકિક શાસ્ત્રની શી જરૂર રહી ? એવા ગુણની પ્રાપ્તિ કરવાને તે ધર્મશાસ્ત્રજ ખાસ ઉગી છે. માટે તિર્થંકરદેવ પરમાત્માએ આત્મકલ્યાણને માટે શાસ્ત્રની પ્રરૂપણ કરી છે તે આપણા હિતને માટેજ છે, અને તેથી જ શાંત દશા પ્રાપ્તિ થાય છે. જે ગુણ ધર્મશાસ્ત્રથી પ્રાપ્ત થાય છે તેવા ગુણની પ્રાપ્ત અભિમાની એવા બ્રાહ્મણીયા વ્યાકરણાદિ શાસ્ત્રથી કદી પણ થતી નથી. એ વાત શાસ્ત્ર સિદ્ધ છે
પ્રશ્ન ૩૪ મું—યાકરણીય-તમે વ્યાકરણાદિ શાસ્ત્રને અભિમાની જ્ઞાન કેમ કહો છે ?
ઉત્તર–શૈદ્ધાંતિક–અમે તો શું કહીએ પણ પૂર્વે વિદ્વાન આચાર્યો કહી ગયા છે.
જુએ “જૈન” પત્ર પુસ્તક ૫ મું મુંબઈ રવિવાર તા. ૪થી આગષ્ટ સને ૧૯૦૭, અષાડ વદ ૧ વીર સંવત્ ૨૪૩૩ (અંક ૧૮ મો) તેમાં પાને અમે મુનિ વિચાર મુનિ મહારાજ શ્રીચારિત્રવિજ્યનું વ્યાખ્યાન (એ નામને લેખ) તેમાં કહ્યું છે કે –
સિદ્ધસેન દિવાકર વિક્રમના સમયમાં થઈ ગયા. તે બહુ ભણેલા હતા. વિદ્યાના ગર્વને લીધે તેમને ફક્ત નવકારનાં પાંચ પદને સંસ્કૃત રૂપમાં ફેરવી નાખ્યા અને પીસ્તાળીસે આગમ સંસ્કૃત ભાષામાં ફેરવી નખવા ઈચ્છ દર્શાવી. માગધી ભાષાને ન્યૂન ગણ સંસ્કૃતમાં ફેરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org