________________
૧૦૩.
ઉત્તર-સંસ્કૃતાદિ ભણવા વિષે જેવા વ્યાકરણને લગતા પાઠના દાખલા પન્નવણના તથા પ્રશ્ન વ્યાકરણના આપવામાં આવે છે તેથી સાધુને અવશ્ય
વ્યાકરણ ભણવું જ જોઈએ એ નિશ્ચય થતું નથી. એ તે લેકિક શાસ્ત્રના વસ્તારાની શબ્દશુદ્ધિ વ્યાખ્યા કરી છે. એટલે એકવચન દ્વિવચનાદિ શબ્દજ્ઞાન બતાવવા માટે છે, અને તે પ્રમાણે બોલવાથી શબ્દશુદ્ધિ ઉચ્ચારણ જ્ઞાન થયું એમ કહી શકાય, પણ તેથી ભાષા શુદ્ધિ થઈ એમ કહી શકાય નહિ. સત્ય ભાષણ વિના ભાષા શુદ્ધિ થતી નથી. વ્યાકરણના ભણવાવાળા અને તેને લગતા તજ્ઞામ શાસ્ત્રના પારગામી તેમજ સ્વરસંધિ આદિ વિભક્તિ સહિત શુદ્ધ ઉરચારના કરવાવાળા શું અસત્ય ભાષી નથી હોતા ? અર્થાત્ ઘણાએ જોવામાં આવે છે.
- વ્યાકરણના નહિ ભણેલા તત્ત્વજ્ઞાની ભાષા સમિતિવાળા શુદ્ધ ઉરચારના કરવાવાળા સત્યભાષી શું નથી હોતા ? અર્થાત્ તે પણ ઘણાએ જોવામાં આવે છે. તે પછી આત્મશુદ્ધિ કે સત્ય ભાષા બોલવામાં વ્યાકરણદિની શી જરૂર રહી ?
પ્રશ્ન ૧૯ મું–કોઇ એમ કહે કે-વ્યાકરણાદિ શાસ્ત્રજ્ઞાન મેળવ્યા વિના, મગજ શક્તિ ખીલતી નથી, અને મગજ શક્તિ વિના ધર્મ સંબંધી કાર્ય બની શકતાં નથી, માટે સંસ્કૃતાદિ જ્ઞાનની જરૂર છે. તેનું કેમ?
ઉત્તર–“સદ્ગુણ પ્રાપ્તિનો ઉપાય” તેના પાને ૭૨ મે કહ્યું છે કેધર્મ સંબંધી સમ્યજ્ઞાન કંઈ સંસ્કૃત કે પ્રાકૃત ભાષા જાણવાથી અથવા વ્યાકરણ કેવ કે ન્યાય ભણું જવાથી આવી શકતું નથી. ભાષા જ્ઞાન અને તત્વજ્ઞાન એ બે જૂદીજ વાત છે. ઘણાએ વિદ્વાને સંસ્કૃત-પ્રાકૃત-ચાવની આદિ ભાષાઓ જાણે છે, પણ તત્ત્વથી તદ્દન અજાણ્યા હોય છે, અને માતૃ ભાષા પણ શુદ્ધ બોલી ન જાણુનારમાં કોઈ વખત તત્ત્વજ્ઞાન ભંડાર જેવામાં આવે છે. ભાષાજ્ઞાન કે ગેખણયા સૂવાનવાળા ઘણાએ વિદ્વાનેએ ધર્મને નામે હિંસા ઉપદેશી છે. અને અભણ દેખાતા ઘણાએ પરમ હંસો” એ (એટલે પવિત્ર આત્મજ્ઞાનીઓએ ) ઉચ્ચતમ પ્રકારની દયાને પ્રચાર કર્યો છે. માટે મગજ શક્તિ કરતા હૃદય શક્તિ ધર્મમાં પહેલા નંબરની જરૂરીઆત ધરાવનારી ચીજ છે.
બસ, તત્ત્વજ્ઞાન અને ભાષા શુદ્ધિને માટે હૃદય શક્તિની જરૂર છે. તેમાં વ્યાકરણ, ન્યાયશાસ્ત્ર કે તર્કશાસ્ત્રાદિકની આવશ્યકતા નથી એમ ઉપરના લખાણથી સિદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org