________________
૧૦૨
એ અથ ઉપરની મૂળ પાઠની કહેલી ભાષાના અથ પ્રમાણે મળતા નથી. એ ઉપરથી એમ જણાય છે કે એ અર્થ પેાતાને ગમતા મરડીને કર્યાં છે.
વળી તમારા લખવા પ્રમાણે મહાઋષિને માટે સસ્કૃત ભણવાને ભગવાને ભાખ્યું હોય તે આજકાલના ભણનારા મહાઋષિની ઉપમાને લાયક છે કે નહિ તે જરા વિચારવા જેવુ' છે. મહાઋષિની ઉપમા તે સિદ્ધાંતમાં તીર્થંકર-ગણધર જેવા ગુણવાળા મુનિને દેવામાં આવેલ છે તેટલે દરજ્જે આજકાલના મુનિઓને ગણી અથવા મૂળ ગાથાને અવળા અ કરી આશ્રવના સેવનાર બ્રાહ્મણા પાસે ભણી બ્રાહ્મણીયું જ્ઞાન મેળવવા ભગવંતના એ ઉપદેશ નથી.
શ્રી નદીજી સૂત્રમાં વ્યાકરણશાસ્ત્રને મિથ્યા શ્રુત કહેલ છે. તથા સ્વરશાસ્ત્રને પણ પાપશાસ્ત્ર કહ્યાં છે. તે એવાં શાસ્ત્ર ભણવાની આજ્ઞા ભગવાન કેમ આપે ? તે પણ વિચાર કરવા જેવુ છે.
પ્રશ્ન ૧૭ મું—વૈયાકરણીયશ્રી ઉવવાઇ સૂત્રમાં સાધુ સભાષાના જાણુ કહ્યા છે તે પાઠ ‘ સવ્વ માસાજી ગામને ' તે કેમ ?
ઉત્તર—સૌદ્ધાંતિક—એ તદ્દન અવળા અથ કર્યાં છે. ઉવવાઇ સૂત્રમાં તે પાડ સાધુના અધિકારમાં નથી. પણ ગણધરાકિના અધિકારે કહ્યું છે કે
दुबालसंगिणो समत्त गणिपिंडगधरा, सव्वक्खर सण्णिवाइणो, सव्व भासानुगामिणो, अजिणा जिणसंकासा, जिणो इव अवित वागरेभाणा, संजमेण तवसां अप्पाणं भावेमाणे विहरंति.
આ તમામ શબ્દ ગણધરને ઉદેશીને છે, તેમજ વળી ભગવતના ઉપદેશ વખતે તે વાત કહી છે તે પાઠ—
सव्वक्खर संणिवाईयाए पुणरतार सव्य भासाणुगामिणीए सरस्सईए जtयण णीहारिणा सरिणं अद्धमागहाए भामाए भासंति अरिहा धम्मं परिकहेड्
અસ્યા —સ અક્ષરની સંધિ થાયેાગ્ય મેળવીને, સ’પૂર્ણ રાગે કરીને, સર્વાં ભાષાને મળતી, ઘણી મીડી એવી વાણીએ યાજન પ્રમાણે સભળાય એવે સ્વરે, અધ માગધી ભાષાએ પરમેશ્વરે ધમ કથા કહી.
એમાં સાધુ સ ભાષાના જાણુ કહ્યાના સંબંધ બીલકુલ છેજ નહિ. આ ઉપરથી વ્યાકરણના ભણેલા કેવા અર્થ કરે છે તે જણાઇ આવશે.
પ્રશ્ન ૧૮ સુ—શિષ્ય-કેટલાક વ્યાકરણાદિ ભણવા માટે પન્નવણ તથા પ્રશ્ન વ્યાકરણના દાખલા આપે છે તે વિષે શું સમજવું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org