SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન ૧૨ મું—આ વિષે દિગંબર મત કાંઈ જણાવે છે ? ઉત્તર–હા, છ, સાંભળે, દિગંબરી ધર્મદાસજી કૃત “સમ્યકજ્ઞાન દીપિકા” નામને ગ્રંથ સંવત ૧૯૪૮ માં છપાયે છે તેમાં પાને ૬૮ મે સ્નાનુભવ જ્ઞાનમય કેહુ ગુરૂ હૈ સે ન્યાય, વ્યાકરણ, કેશ, અલકાર, કાવ્ય, દાદિક યુક્ત હૈ, સેબી સંસાર સાગર સૈ પાર ઉતાર દેતા છે. બહુરિ કેહુ ગુરૂ હૈ સે સ્વસમ્યક જ્ઞાનાનુભવ હૈ, પરંતુ ન્યાય વ્યાકરણ કેશ અલંકાર કાવ્ય છંદાદિક રહિત હૈ, સોબી સંસાર સાગર પાર ઉતાર દેતા હૈ. ઇતિ. જૈનશાસ્ત્રના રહસ્યની વાત તે ગુરૂ પરંપરાએ ભણનારા વગર વ્યાકરણના ભણેલા સચેટ કરી શકે છે. જૈન સિદ્ધાંતના રહસ્યને નહિ જાણનારા વૈયાકરણીયે ઘણાએ અર્થનો અનર્થ કરી ધર્મને હાની પહોંચાડે છે. એવા કેટલાક દાખલા બની ગયેલા અને હજી પણ બનતા નજરેજ તરે છે. માટે તમારું લખાણુ યા બલવું પ્રમાણભૂત નથી. પ્રશ્ન ૧૩ મું–વ્યાકરણાદિ ભણવાથી શુદ્ધ ઉપદેશ દઈ શકાય એમ કેટલાકનું માનવું છે કે કેમ? ઉત્તર–શુદ્ધ ઉપદેશને માટે જો કોઈ વ્યાકરણાદિકની આવશ્યકતા જણાવતું હોય તે વ્યાકરણાદિના ભણવાવાળા કેટલાએકને સૂત્રની શ્રદ્ધા હોતી જ નથી તે પછી તે શુદ્ધ ઉપદેશ કયથી કરી શકે ? શુદ્ધ ઉપદેશના કરવાવાળા તે શ્રી સૂયગડાંગજી સૂત્રમાં નીચેના ગુણવાળાને કહ્યા છે. સાંભળે –ગાથા. आयगुत्ते सया दंते, छिन्न सोए अणासवे; जे धम्मं सुद्ध मक्खाति, पडिपुन मणालिसं ॥२४॥ સુ સુ ૧ લે અં. ૧૧ મું ગાથા ૨૪ મી. આયર્થ –ગુમ આત્મા મનને વિષયોથી રોકવાવાળા, સદા ઇદ્રિને દમવાવાળા, છેદ્યા છે શ્રેત-પાપ આવવાનાં દ્વાર જેણે અનાશ્રી અર્થાત સંવરના ધારક તે પુરૂષ શુદ્ધ ધર્મ આખ્યાતી-કહી શકે છે. પ્રતિપૂર્ણ અનીશ અર્થાત્ આશ્ચર્યકારી અત્યુત્તમ-એવા ગુણવાળા પુરૂષ શુદ્ધ ઉપદેશ દઈ શકે છે. જુએ ઉપરોકત ગુણવાળાને શુદ્ધ ભાષી-શુદ્ધ ધર્મ કહેવાવાળા કહ્યા છે. પરંતુ વ્યાકરણાદિના ભણવાવાળાને સત્યભાષી–સત્યવાદી કહ્યા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy