SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધાંતને વાક્યમાં ઘણું પ્રકારની શંકાએ વેદીને છેવટે સિદ્ધાંત માર્ગથી પડી ધર્મભ્રષ્ટ થાય છે એવા કેટલાક દાખલા નજરે જોવામાં આવે છે. તે ઉપરથી કેટલાક સૈદ્ધાંતિકો એવા પ્રકારનું જ્ઞાન મેળવવાથી પાછા રહે છે. પ્રશ્ન ૪ થું–સમ્યફ જ્ઞાનના અજાણ એવા વ્યાકરણદિ જ્ઞાનના મદે કોઈ એમ બોલે કે ઉપર કહેલ કે શું ભેટો હશે ? ઉત્તર-પૂર્વે જણાવેલ કલેક કોઈ વૈયાકરણ મતવાળાને બનાવેલ જણાય છે. કારણ કે કોઈ જૈન સિદ્ધાંતમાં તેવી વાત છે નહિ કે—“ વ્યાકરણ નહિ ભણેલે તે અંધ.” એમ જે કહીએ તે વ્યાકરણના ભણેલા તમામ બ્રાહ્મણ વર્ગ, અન્ય આર્ય, અનાર્ય તથા તેમના સંસ્કૃત ભાષામાં વર્તતા જે શાસ્ત્ર વેદ પુરાણાદિ તે તમામ તમારા મતે દેખતા હોવા જોઈએ અને તે તમામ શાસ્ત્ર પણ ભાષા શુદ્ધિવાળાંજ હોવાં જોઈએ. પ્રશ્ન પ મું–આ વિષે રૌદ્ધાંતિકેનું શું કહેવું છે ? ઉત્તર–શૈદ્ધાંતિકોનું ઠીક કહેવું છે. જે ઉપર કહ્યા પ્રમાણે હોય તે પછી પીતાંબરી આત્મારામજીએ પિતાના બનાવેલા “અજ્ઞાન તિમર ભાસ્કર” પુસ્તક સંવત્ ૧૯૪૪ માં છપાયેલ તેના પાને ૧૫૫ મે પંક્તિ ૯ મી-૧૦મી એ લખ્યું છે કે–વેદના બનાવવાવાળા અજ્ઞાની, નિર્દય, માંસાહારી ઈત્યાદિ વાકયે લખ્યાં છે. તે વિચારે કે વેદના કર્તા શું સંસ્કૃત નહિ ભણ્યા હોય કે તેને એવા અઘટિત શબ્દો વાપરવા પડયા હશે ? વ્યાકરણ શાસ્ત્રના ભણેલા, દેખતા ને સત્ય ભાષી હોય તે તેઓનાં રચેલાં શાસ્ત્રોમાં પશુવધયજ્ઞ તથા બ્રાહ્મણને માંસાહાર કરે, ક્ષત્રીઓને યુદ્ધ, શિકાર, માંસાહાર વગેરે કરવાની છૂટ આપનાર તથા ધર્મ કે દેવ અથે પશુવાદિ હિંસાઓ બતાવનાર વગેરે એવા એવા મહા અનર્થકારી કૃત્યો કેમ બતાવે? એવા મહા અનર્થકારી શાસ્ત્રના બાંધનારા ૌયાકરણ તેને તે દેખતા કહેવા કે આંધળા કહેવા તેને જરા વિચાર કરે ? શબ્દકોષના જ્ઞાન વિન ને બહેરે, કાવ્ય (પગલ) ના જ્ઞાન વિનાને પશુ અને તર્કશાસ્ત્રના જ્ઞાન વિનાને હેય તે મુગે ગણાય. એમ કહેવે શું થયું ? એવા શાસ્ત્રોમાં પણ અનર્થકારી બાબતે ઘણી હોય તેથી તે સત્ય ભાષી કેમ કહેવાય ? જૈનશાસ્ત્રોમાં તે વ્યાકરણાદિ પૂર્વોક્ત હિંસાકારી શાસ્ત્રો ધિક્કારેલાં છે, અને તેવાં શાસ્ત્રોને નંદી વગેરે સૂત્રોમાં પાપશોટ્સ કહેલાં છે. તે તેને ભણવા ભણાવવા કે તેની ભાષા શુદ્ધિ હોયજ ક્યાંથી ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy