________________
૯૫
બેઅદબી ભાષાએ વાપરી ગયા છે. પેાતાનો વગ વ્યાકરણ ભણેલા છે એમ જણાવવાને અને સૈદ્ધાંતિકાને હલકા પાડવાને એવા અભિમાની વાકયે ગ્રંથદ્વારા જોવામાં આવે છે કે તે વાંચવાથીજ ખાત્રી થઇ જાય છે કે કેટલે દરજજે તેમની ભાષા સમિતિ સચવાણી હશે ? અને વ્યાકરણના ભણનારની ભાષા શુદ્ધિ કેવી છે તે પણ તરતજ જણાઇ આવશે.
જૈન અને જૈનેતરોના ગ્રંથા પર તથા કેટલાક લખાણા પરથી સૈદ્ધાંતિક તેનુ' અનુકરણ લઇ સિદ્ધાંતના અભ્યાસ બંધ પાડી વ્યાકરણનુ જ્ઞાન મેળવવા લઇ મચ્યા હાય એમ જણાય છે. એટલે અમે પણ વ્યાકરણના ભણેલા છીએ એમ કહેવરાવવાને એ ઝુંડ ઉપાડ્યો છે. એમ “ જૈન સમા— ચાર ” –પુસ્તક ૨ જું-અંક ૨૯ મે-અમદાવાદ-સામવાર તા. ૯ મી સપ્ટેમ્બર-૧૯૦૭–વીર સંવત્ ૨૪૩૩ ભાદ્રપદ શુદ ૨ ના પેપરમાં “ મુનિ– રાજો સ’સ્કૃતાદિના અભ્યાસ કરી શકે કે ? ' એવા નામના લેખ એક સૈદ્ધાંતિક મુનિના તરફથી મુકાયેલ છે તેમાં ઉપરના શ્લોક વગેરે કેટલીક વ્યાખ્યા કરી સિદ્ધાંતના દાખલા આપી વ્યાકરણ ભણવાની આવશ્યકતા બતાવી છે.
પ્રશ્ન ૩ જી— આગળના સાધુ વ્યાકરણના ભણેલા હતા એમ કાણુ નાકબુલ કરે તેમ છે ?
ઉત્તર — આગળના સૈદ્ધાંતિક મુનિએ પતિના વમાં ગણાયેલા વ્યાકરણના ભણેલા હતા ખરા, પણ તે પ્રથમ પેાતાનુ જૈન ધર્મનુ પુષ્કળ જ્ઞાન મેળવીને પછી વ્યાકરણનુ જ્ઞાન મેળવતા હતા. તેનું કારણ કે વ્યાકરણુ જ્ઞાન અભિમાની હાવાથી જૈન ધર્મનું જ્ઞાન એટલે સ્વસમયનું જ્ઞાન પ્રથમ મેળવ્યા બાદ તે જ્ઞાન જો મેળવાય તેજ તે જીરવી શકાય એમ તે
માનતા હતા.
આજકાલના મુનિએ દીક્ષા લીધી કે તરતજ તેવા તાજા શિષ્યાને સિદ્ધાંત શાસ્ત્ર કે થેાકડા વગેરે જૈન ધર્મોનું જ્ઞાન પ્રાપ્ત કરાવ્યા વિના વ્યાકરણ શાસ્ત્રને અભ્યાસ કરાવવા મડી પડે છે. હજી પોતાના ધર્મનું જ્ઞાન તો બીલકુલ હાયજ નહિ તે પહેલાં બ્રાહ્મણીયા જ્ઞાનના અભ્યાસમાં મચી રહેવાથી ધર્મ શાસ્ત્રના જ્ઞાનના અજાણુને લઇને ઘણાક અવળે રસ્તે ચડી ગયેલા જોવ માં આવે છે. તેનુ' કારણ કે ટીકા વગેરે અન્ય મતીઓનાં શાસ્ત્ર ઉપર તેમનુ વધારે લક્ષ ખેં'ચાય છે, એમ પ્રત્યક્ષ અનુભવાય છે. પેાતાના ધર્મશાસ્ત્રની અપૂર્ણતાને લીધે અન્ય ધર્મિઓનાં શાસ્ત્રો વાંચવાથી પોતાના ધર્મની શ્રદ્ધા-આસ્તા ઘણીજ એછી રહે છે. ટીકા વગેરે વાંચવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org